Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છોટા ઉદેપુર : મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને 310 કરોડના વિવિધ યોજનાના કામનું ખાતમુહૂર્ત કરાયું

છોટા ઉદેપુર જીલ્લામાં જીવાદોરી સમાન ગણાતા સુખી ડેમ ડુંગરવાંટ ખાતે રાજ્યના જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને 310 કરોડના વિવિધ યોજનાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત સરકાર નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની...
07:20 PM Mar 06, 2024 IST | Harsh Bhatt

છોટા ઉદેપુર જીલ્લામાં જીવાદોરી સમાન ગણાતા સુખી ડેમ ડુંગરવાંટ ખાતે રાજ્યના જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને 310 કરોડના વિવિધ યોજનાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત સરકાર નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજના અંતર્ગત નહેર સુધારણા અને નવીનીકરણના રૂપિયા 225 કરોડના ખર્ચે તથા પાણી પુરવઠા વિભાગના નસવાડી અને સંખેડા વિસ્તારના પીવાના પાણીની યોજનાના રૂપિયા ૮૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ સુખી ડેમ ડુંગરવાટ ખાતે રાજ્યના જળ સંપતિ પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

જળ સંપતિ પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ 

50 વર્ષ પહેલા બનાવવામાં આવેલ સુખી જળાશય સુખી ડેમ અને કેનાલો છે જે રીપેરીંગ માંગી રહી હતી. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ ખૂબ જ યાતના ભોગવવી પડતી હતી. આજરોજ આ કામોનું ખાત મુહુર્ત કરતા મહદઅંશે આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈની જે દુવિધા હતી તેનો  નિકાલ આવતો જોવા મળી રહ્યો છે.

મંત્રી કુંવરજી બાવળીયા

મંત્રીએ કરેલા પોતાના ઉદબોધનમાં જણાવેલ કે સદર કામો મંજૂર કરવવા માટે છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યો દ્વારા અથાગ મહેનત કરી છે અને જિલ્લાના ત્રણેય જન પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોની ચિંતા કરી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ અપાવી પોતે એક સાચા અર્થમાં જનસેવક છે તે સાબિત કર્યું છે. આ પ્રસંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા રાજ્ય સભા સાંસદ નારણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ - તોફીક શેખ 

આ પણ વાંચો :  BJP માં જોડાવા અંગે શું કહ્યું કનુભાઇ કળસરીયાએ ?

Tags :
310 croresChhota Udepurdevlopment projectsGUJARAT GOVERMENTKunvarji BavliaMinisterSchemes
Next Article