Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur : પ્રાથમિક શિક્ષણાધિકારીએ 21 શાળાને ફટકારી નોટિસ, 3 દિવસમાં ખુલાસો કરવા આદેશ

આ બાબત વિદ્યાર્થીઓની સલામતી સાથે સંકળાયેલ હોવાથી આ કામગીરીમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી શકાય નહી...
chhota udepur   પ્રાથમિક શિક્ષણાધિકારીએ 21 શાળાને ફટકારી નોટિસ  3 દિવસમાં ખુલાસો કરવા આદેશ
Advertisement
  1. Chhota Udepur માં પ્રાથમિક શિક્ષણાધિકારીએ 21 શાળાને ફટકારી નોટિસ
  2. FIRE NOC લેવામાં વિલંભ કરનારી શાળાઓને ફટકારાઈ નોટિસ
  3. કાર્યવાહી કેમ ન કરવી ? તે અંગે 3 દિવસમાં ખુલાસો કરવા આદેશ

છોટાઉદેપુરમાં (Chhota Udepur) બેજવાબદાર શાળા સંચાલકો સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ સેફ્ટી મેઝર્સ રૂલ્સ મુજબ ચોક્કસ ક્ષેત્રફળ ધરાવતાં શૈક્ષણિક હેતુસરનાં બિલ્ડિંગ ફાયર પ્રોટેક્શનની જોગવાઈ લાગૂ પડે છે. આવી ઈમારતો માટે સ્થાનિક ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનાં ફાયર સેફટી સર્ટિફિકેટ લેવાની અને રિન્યૂઅલ કરવાની જરૂર રહે છે. જિલ્લાની 21 શાળાઓમાં FIRE NOC લેવાની થાય છે તેમ છતાં શાળાએ કોઈ જ કામગીરી ના કરતા એવા બે જવાબદારો સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી ત્રણ દિવસમાં બેદરકારી બદલ ખુલાસો માંગ્યો છે.

આ પણ વાંચો - Vadodara : ધુળેટીની ઉજવણી વચ્ચે એક વિદ્યાર્થી લાકડાની બેન્ચ લઈ બીજાને મારવા દોડ્યો, Video વાઇરલ

Advertisement

21 શાળાઓમાં FIRE NOC લેવાની થાય છે તેમ છતાં કામગીરી નહીં!

માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાની (Chhota Udepur) 21 શાળાઓમાં FIRE NOC લેવાની થાય છે તેમ છતાં આ બાબતે કેટલીક શાળાએ કોઈ જ કામગીરી કરી નથી અથવા ખુબ જ ધીમી ગતિથી આ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આ બાબત વિદ્યાર્થીઓની સલામતી સાથે સંકળાયેલ હોવાથી આ કામગીરીમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી શકાય નહી અને વારંવાર સૂચના આપવા છતાં આ કામગીરી શાળા દ્વારા પૂર્ણ કરવામાં આવી ન હોવાથી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કેમ ન કરવી ? તે અંગેનો ખુલાસો 3 દિવસમાં રૂબરૂ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, છોટાઉદેપુર મુકામે હાજર રહેવા ફરમાન કરતા જવાબદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : 19 વર્ષીય યુવતીને પ્રેમમાં મળી મોતની સજા! પિતા-કાકા સામે હત્યાનો આરોપ

યોગ્ય કાર્યવાહી કેમ ન કરવી ? તે અંગેનો 3 દિવસમાં ખુલાસો કરવા સૂચના

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સાફ વાત છે કે વિદ્યાર્થીઓની સલામતી સાથે સંકળાયેલ કામગીરીમાં નિષ્કાળજી ચલાવી શકાય નહીં. વારંવાર સૂચના આપવા છતાં આ કામગીરી શાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ નથી. જે ખુબ ગંભીર બાબત છે, જેની નોંધ લઇ બે જવાબદારોને પાઠ ભણાવવા તેમની સામે યોગ્ય કાર્યવાહી કેમ ન કરવી ? તે અંગેનો ખુલાસો 3 દિવસમાં માંગતા સમગ્ર શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Rajkumar Jat Case : અકસ્માત સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી, થોડા સમય બાદ ફોર્ચ્યુનર, સ્કોર્પિયો અને બાઇક પણ આવી!

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash : આવતીકાલે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : દુર્ઘટનાના 70 કલાક બાદ વિજયભાઈ રુપાણીનું DNA મેચ થયું , હર્ષભાઈ સંઘવીએ કરી જાહેરાત

featured-img
રાજકોટ

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં મેઘમહેર, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

featured-img
Top News

VADODARA : ભીમનાથ મહાદેવ મંદિર પરિસરની કુટિરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

featured-img
Top News

VADODARA : પ્લેન ક્રેશમાં હતભાગી વધુ એક મહિલા મુસાફરનો મૃતદેહ ઘરે પહોંચ્યો

featured-img
રાજકોટ

Rajkot : એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં રુ.20નો વધારો, છેલ્લા 5 દિવસમાં કુલ 80 રુપિયા વધ્યા

×

Live Tv

Trending News

.

×