Bharuchથી દહેજ શ્રમિકોને લઇને જતી બસને નડ્યો અકસ્માત, કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા
Bharuch: ગુજરાતમાં ઘણી એવી કંપનીઓ ચાલે છે જેમાં કર્મચારીઓને લેવા અને મુકવા માટે બસની વ્યવસ્થા કરેલી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કર્મચારીઓ સમયસર કામના સ્થળે પહોંચી જાય તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ભરૂચ (Bharuch)થી દહેજ SRF કંપનીમાં કામદારો લઇ જતી બસ મારી પલટી મારી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે નાઇટ શિફ્ટમાં કામદારો લઇ જતી બસ અટાલી ગામે વૈભવ હોટેલ પાસે મારી પલટી મારી હોવાનું સામે આવ્યું હતું.
અટાલીમાં વૈભવ હોટેલ પાસે મારી પલટી મારી હોવાનું સામે આવ્યું
ખાસ કરીને વાત કરવામાં આવે તો, બસ પલટી મારી જતા કામદારો બસમાંથી જીવ બચાવી બારીમાંથી બહાર નીકળતા નજરે પડ્યા હતા. પરંતુ આખરે શા કારણ બસ પલટી મારી ગઈ હતી, તે અંગે હજી કોઈ ચોક્કસ અહેવાલો સામે આવ્યા નથી. નોંધનીય છે કે, બસમાં રહેલા કર્મચારીઓ બસની બારીમાંથી બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા. નોંધનીય છે કે, નાઇટ શિફ્ટના શ્રમિકો SRF કંપનીમાં કામ કરવા જઇ રહ્યા હતા, જેમાં કોઈ કારણસર બસ પલટી મારી ગઈ હતી. જેથી શ્રમિકોએ જોખમી રીતે બસમાંથી કુદી પોતાના જીવ બચાવ્યા હતા.
કર્મચારીઓ પોતાનો જીવ બચાવી બસની બારીમાંથી કૂદ્યા
આખરે શા કારણે બસ પટલી મારી ગઈ તે અંગે હજી કોઈ કારણ સામે આવ્યું નથી. પરંતુ બસના કર્મચારીઓ જોખમી રીતે પોતાનો જીવ બચાવી બસની બારીમાંથી કૂદ્યા હતા. મળતી વિગતો પ્રમાણે હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. કામદારોને ભરૂચ (Bharuch)થી દહેજમાં આવેલી એક કંપનીમાં લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. કામદારોને કંપનીમાં લઈ જતી બસ કોઈ અગમ્ય કારણોસર પલટી મારી ગઈ હતી. જેથી શ્રમિકો પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદ્યા હતા.