Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat-સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય

Gujarat- સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી અપાશે: ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ Gujarat-સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણયરાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે,...
gujarat સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય
  • Gujarat- સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી અપાશે: ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat-સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણયરાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે, કિસાનોના હિતને વરૈલી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકારેસૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી આપવાનો ખેડૂત હિત લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે.

Advertisement

સરેરાશ ૮ કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી

ઉર્જા મંત્રી શ્રી એ ઉમેર્યું કે,સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રેની રોટે શન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર ૮ કલાક વીજળી આપવાનો કાર્યક્રમ અમલમાં છે, અને તે રીતે નિર્ધારીત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ ૮ કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે.

સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ ૭૫% થી વધુ સપ્લાય

જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ ૭૫% થી વધુ સપ્લાય દિવસ દરમ્યાન આપવામાં આવે છે. રાજ્યના આશરે ૨૦.૧૦ લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે ૧૬.૦૧ લાખ ગ્રાહકો ને દિવસ દરમ્યાન (એટલે કે સવારે ૫ કલાકે  થી રાત્રે ૯ કલાકમાં) ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે.

Advertisement

તેમણે ઉમેર્યું કે, વરસાદ ખેંચાતો હોય અથવા ઉભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણે ના ડાંગર, જીરું જેવા પાક ને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ ૮ કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે.

ખેડૂતોના મહામૂલા ઉભા પાકને જીવતદાન

Gujarat મા હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વિજ વિતરણ ક્ષેત્ર  હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોલ, માળીયા હટીના તાલુકામાં તેમજ કચ્છ જીલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી  ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી આપવા અમલવારી કરવાની સુચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે જેનાથી ખેડૂતોના મહામૂલા ઉભા પાકને જીવતદાન મળ્યું છે.

Advertisement

મંત્રી શ્રી દેસાઈ એ ઉમેર્યું કે, તા.૨૭.૦૮. ૨૦૨૪ ના રોજ  પીજીવી સીએલની મહત્તમ વીજમાંગ ૩૧૪૭ મેગાવોટ અને વીજ વપરાશ ૫૫ મીલીયન યુનીટસ હતો, જે હાલમાં તા. ૨૩.૦૯.૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૯૦૩૫ મેગાવોટ અને ૧૫૪ મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે દર્શાવે છે કે પીજીવીસીએલની વીજમાંગમાં ઘણો વધારો થયેલ છે. એજ રીતે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાંગ ૧૮૭ મેગાવોટ અને વીજ વપરાશ ૦૩ મીલીયન યુનીટસ હતો,જે હાલમાં તા. ૨૩.૦૯. ૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૫૮૨૦ મેગાવોટ અને ૫૫ મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની વીજમાંગમાં થયેલ વધારો દર્શાવે છે.

તા. ૨૭.૦૮.૨૦૨૪ ના રોજ રાજ્યની મહત્તમ વીજમાંગ ૧૨૧૫૭ મેગાવોટ અને વીજ વપરાશ ૨૬૯ મીલીયન યુનીટસ હતો, જે હાલમાં તા. ૨૩.૦૯.૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૨૪૨૦૫ મેગાવોટ અને ૪૯૩ મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે રાજ્યની વીજમાંગમાં થયેલ નોંધપાત્ર વધારો દર્શાવે છે.

ઉભા પાક્ને બચાવવા જરૂરી જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એક્મો માંથી, કેન્દ્રીય ક્ષેત્રના જનરેટીંગ સ્ટેશન, એક્સચેન્જ અને રીઅલ ટાઇમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને પણ  ખેતીવાડી ક્ષેત્રે ૧૦ કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યુ છે.

આ પણ વાંચો-VADODARA : 'કચરે સે આઝાદી', નિર્માલ્યમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાનું આયોજન

Tags :
Advertisement

.