Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji: તહેવારોમાં મા અંબાનો ભંડાર છલકાયો, કરોડો રૂપિયા સાથે આવ્યું સોના-ચાંદીનું દાન

Ambaji: અંબાજી મંદિરમાં ભક્તો દૂરદૂરથી માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે, ત્યારે દિવાળીનાં તહેવાર નિમિત્તે પણ ભકતોએ માતાજીનાં ભંડાર અને ગબ્બર પર્વતના મંદીરમાં મોટી સંખ્યામાં દાન ભેટ ચઢાવી હતી
ambaji  તહેવારોમાં મા અંબાનો ભંડાર છલકાયો  કરોડો રૂપિયા સાથે આવ્યું સોના ચાંદીનું દાન
Advertisement
  1. દિવાળીના પર્વમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યાં
  2. ભક્તોએ અંબાજીમાં આપ્યું કરોડો રૂપિયાનું દાન
  3. તહેવારો દરમિયાન ભક્તોએ માતાજીનો ભંડારો પણ છલકાવી દીધો

Ambaji: ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી મંદિરમાં મોટા પ્રમાણમાં દાન આવતું હોય છે. શક્તિ, ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શકિતપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભાદરવી, નવરાત્રી અને દિવાળીના પર્વમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો: Exclusive: ગુજરાતમાં હત્યાના કેસ વધ્યા તેનું કારણ શું? જાણો શું કહ્યું જાણીતા સાયકોલોજિસ્ટે...

Advertisement

સીસીટીવીની નજરે થાય છે દાનના રૂપિયાની ગણતરી

અંબાજી ખાતે દિવાળીના વેકેશનમાં માતાજીના ભકતો દિવાળીથી દેવ દિવાળી સુધી માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતાં અને ત્યારબાદ ભક્તોએ માતાજીનો ભંડારો પણ છલકાવી દીધો હતો. અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડાર ખુલે છે જેમાં સીસીટીવીની નજરમાં 70 થી વધુ લોકો ભંડાર ગણતરીમા જોડાય છે. ત્રણ અલગ અલગ ખુલેલા ભંડાર ગણતરીમાં કરોડો રૂપિયાનુ દાન આવેલ છે.

Advertisement

આ પણ વાંચો: Gondal Marketing Yard જણસીની આવકથી ઉભરાયું, ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક

દિવાળી બાદના પ્રથમ ભંડારમાં 64 લાખની આવક

અંબાજી મંદિરમાં ભક્તો દૂરદૂરથી માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે, ત્યારે દિવાળીનાં તહેવાર નિમિત્તે પણ ભકતોએ માતાજીનાં ભંડાર અને ગબ્બર પર્વતના મંદીરમાં મોટી સંખ્યામાં દાન ભેટ ચઢાવી હતી. દિવાળી બાદના પ્રથમ ભંડારમાં 64 લાખની આવક થઈ હતી. ત્યારબાદ બીજા ભંડારમાં 52 લાખની આવક થઈ હતી અને આજે ત્રીજા ભંડારના દીવસે અંદાજે 45 લાખની આવક થઈ હતી. આજે અંબાજી મંદિરની હવનશાળામાં મોટી સંખ્યામાં નડિયાદના ભકતો હવનમા જોડાયા હતા. સામૂહિક નવચંડી યજ્ઞ નડિયાદથી અંબાજી દર વર્ષે આવતાં ભક્તો અહી હવન શાળામાં હવન મા જોડાયાં હતાં. અંબાજી મંદિરમાં ભક્તો અવારનવાર સોનું ચાંદી પણ ભેટ આપતા હોય છે. ભંડાર ગણતરી વહીવટદાર, એકાઉન્ટ ઓફિસરની હાજરીમા ગણતરી થાય છે.

આ પણ વાંચો: Gandhinagar: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી, PM-JAY યોજનામાં આવતી 7 હોસ્પિટલને કરી સસ્પેન્ડ

Tags :
Advertisement

Trending News

.

×