Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : વિનાયકગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ બંગાળી કારીગરોએ તૈયાર કરી

AHMEDABAD : હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ પછી તહેવારોની શરૂઆત થાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ ભાદરવા મહિનામાં અંબાજી મેળાની સાથે ગણપતિ મહત્વ ખુબજ જોવા મળે છે. ગણપતિ મહોત્સવ મહારાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે..પંરતુ હવે ગુજરાત અને મોટા શહેરમાં ગણપતિના...
ahmedabad   વિનાયકગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ બંગાળી કારીગરોએ તૈયાર કરી

AHMEDABAD : હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ પછી તહેવારોની શરૂઆત થાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ ભાદરવા મહિનામાં અંબાજી મેળાની સાથે ગણપતિ મહત્વ ખુબજ જોવા મળે છે. ગણપતિ મહોત્સવ મહારાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે..પંરતુ હવે ગુજરાત અને મોટા શહેરમાં ગણપતિના પંડાલ જોવા મળી રહ્યા છે.જેમાં અલગ અલગ થીમ પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ જોવા મળતા હોય છે.

Advertisement

મૂર્તિ બનાવવા માટે ગંગા પાણી સ્પેશિયલ માંગવામાં આવે છે

અમદાવાદ (AHMEDABAD) નરોડા (NARODA) વિસ્તારમાં વિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા 26 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.જે ગણપતિ મૂર્તિ નવસારી રહેતા બંગાળી કારીગરો દ્વારા કરવામાં આવશે. આ મૂર્તિ ખાસ વાત કરવામાં આવે તો આ મૂર્તિ બનાવવા માટે ગંગા પાણી સ્પેશિયલ માંગવામાં આવે છે. ગંગાના પાણી દ્વારા મૂર્તિ નિર્માણ કરવામાં આવે છે. વિનાયક ગ્રુપના સભ્યો તેમજ સ્થાનિકો લોકો દ્વારા હર્ષ ઉલ્લાસ દ્વારા 10 દિવસ સુધી બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવે છે.

Advertisement

વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગણપતિ બપ્પામો સ્થાપના કરવામાં આવે તે પહેલા ગુજરાત આવેલ સુપ્રસિદ્ધ ગણપતીપુરા ખાતે આવેલ ગણપતિ બાપ્પા મંદિર અંખડ જ્યોત લાવવામાં આવે છે.તેજ જ્યોતને 10 દિવસ સુધી અંખડ જ્યોત રાખવામાં આવે છે. દસ દિવસ સુધી વિનાયકગ્રુપ દ્વારા બાળકો મનોરંજન, વિકાસશીલ, ધાર્મિક કાર્યક્રમ આયોજન પણ કરવામાં આવે છે. જેમાં દસ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે.સ્ત્રીનાહકોને લઈને કાર્યક્રમ, ચિત્ર સ્પર્ધા, સ્ત્રી સ્વરક્ષાની તાલીમ, વેશભૂષા જેવા કાર્યક્રમો કરવામાં આવે છે.

રિપોર્ટર - રાહુલ ત્રિવેદી, અમદાવાદ

Advertisement

આ પણ વાંચો -- Gujarat માં મેઘરાજાની હજી એક તોફાની બેટિંગ, અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી

Tags :
Advertisement

.