Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં 8 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, 3 નરાધમો ઝડપાયા

અહેવાલ--રહીમ લાખાણી, રાજકોટ રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ગુમ થયેલ બાળકીની માથું છૂંદેલી હાલતમાંથી મળી આવેલ લાશ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદમાં બાળકી તેના પિતાને બનાવ...
રાજકોટમાં 8 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા  3 નરાધમો ઝડપાયા

અહેવાલ--રહીમ લાખાણી, રાજકોટ

Advertisement

રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ગુમ થયેલ બાળકીની માથું છૂંદેલી હાલતમાંથી મળી આવેલ લાશ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદમાં બાળકી તેના પિતાને બનાવ અંગે જાણ કરશે તેવા ભયથી બાળકીનું મોત નિપજાવવાનું નક્કી કરી પત્થરના ઘા માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ એકલા રહી કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને બાળકીના પરિવારજનો સાથે પરિચય ધરાવતા હોવાથી બાળકીને ફોસલાવી અવાવરું જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

બાળકીની લાશ મળ્યા બાદ પોલીસની તપાસ

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના ભક્તિનગર રેલવે સ્ટેશનની હદમાં આવેલ ઝાડીઝાંખરામાંથી માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી 8 વર્ષની ગુમ થયેલ બાળકીની લાશ શનિવારે મળી આવી હતી જે બાદ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સીસ મદદથી તપાસ શરૂ કરી હતી જે દરમિયાન પોલીસને મહત્વની કડી મળી આવી હતી. જેમાં મિથિલેશ નામનો શખ્સ બાળકીને લઇ જઇ જતો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો જેના આધારે પ્રથમ તેની અટકાયત કરી આગળ પુછપરછ હાથ ધરી હતી દરમિયાન કુલ 3 આરોપીની સંડોવણી હોવાનું સામે આવતા તમામ 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

3 નરાધમ ઝડપાયા

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે તપાસ શરૂ કરી બિહારના મિથીલેશ કુમાર ઉર્ફે કાણીયો દાસ (ઉ.વ.24), રાજસ્થાનના ભરત મીણા (ઉ.વ.38) અને ઉત્તરપ્રદેશના અમરેશ ઉર્ફે બ્રિજેશ (ઉ.વ.25)ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મિથિલેશને વિરમગામથી, ભરતને રાજસ્થાનથી અને અમરેશ ઉર્ફે બ્રીજેશને રાજકોથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. માલવીયાનગર પોલીસે પ્રથમ આ બનાવમાં અપહરણની ફરિયાદ નોંધી હતી ત્યારબાદ બાળકીની લાશ મળી આવતા હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને હવે આરોપીઓ પકડાયા બાદ તેમને દુષ્કર્મ આચર્યાની કબૂલાત આપ્યા બાદ તેમજ મેડિકલ પુરાવા આધારે ગેંગરેપ તેમજ પોક્સોની અલગ અલગ કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

મિથિલેશ, ભરત તથા અમરેશે બાળકી ઉપર નજર બગાડી

પકડાયેલ આરોપીઓ પૈકી મિથિલેશ તથા ભરત મીણા બંને એક જ કારખાનામાં નોકરી કરતા હતા. અને તેઓ લક્ષ્મીનગર શેરી નંબર 2 માં જ રહેતા હતા. મૃતક બાળકી પણ પરિવાર સાથે લક્ષ્મીનગર શેરી નંબર 2 માં રહેતી હતી. આરોપીઓ તેમજ બાળકીના પિતા એકબીજાથી પરિચિત હોવાના કારણે એક-બીજાના ઘરે આવવા-જવાનો વ્યવહાર હતો જેથી મિથિલેશ, ભરત તથા અમરેશે બાળકી ઉપર નજર બગાડી હતી. આ પૈકી મિથિલેશ બાળકીને લલચાવી ફોસલાવી ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે અવાવરૂ જગ્યામાં લઇ ગયો હતો જ્યાં અગાઉથી ભરત તથા અમરેશ હાજર હતા. ત્રણેય આરોપીઓએ સાથે મળી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત આરોપીઓએ પુછપરછમાં આપી હતી અને તે મેડિકલ રિપોર્ટમાં પણ પુરવાર થયેલ છે.

બાળકીને લલચાવી-ફોસલાવી રેલવે સ્ટેશન પાસે અવાવરું જગ્યા પર લઇ ગયા

પ્લાન મુજબ આરોપી મિથિલેશ સાંજના અંધારાના સમયે બાળકીને વસ્તુ અપાવવાના બહાને લલચાવી-ફોસલાવી રેલવે સ્ટેશન પાસે અવાવરું જગ્યા પર લઇ ગયો હતો. મિથીલેશે બાળકીનું મોઢું દબાવી અને અગાઉથી પ્લાન મુજબ હાજર ભરત તથા અમરેશ આવી જતા ત્રણેય શખ્સે બાળકીને ઉપાડી ઝાડી ઝાંખરામાં અંદર લઇ ગયેલ અને ત્યાં ત્રણેય શખ્સોએ વારા ફરતી બાળકી સાથે બળજબરીથી દુઃષ્કર્મ આચરી જો બાળકીને જીવતી રહેવા દેશે તો તેના પિતાને આ બનાવની જાણ કરશે તે ડરના કારણે ત્રણેય જણાએ ત્યાં પડેલ મોટા પથ્થર વડે બાળકીના માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે વારા ફરતી પત્થરના ઘા મારી ગંભીર ઇજાઓ કરી બાળકીનું મોત નીપજાવી નાસી ગયેલા હતા.

આ પણ વાંચો---આ વખતે નવરાત્રીમાં પડશે વરસાદ ? વાંચો શું કહ્યું અંબાલાલ પટેલે..

Tags :
Advertisement

.