Aravalli: સાર્વત્રિક વરસાદ હોવા છતા અરવલ્લીના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હજી પણ ખાલી
Aravalli: ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ એવા ઘણા વિસ્તારો છે, જ્યારે ભારે વરસાદ થવા છતાં પણ જળાશયો (Reservoirs) હાલ ખાલી જોવા મળી રહ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, અરવલ્લી (Aravalli) જિલ્લાના જીવાદોરી સમાન ત્રણ જળાશયો (Reservoirs) વરસાદ હોવા છતાં પણ હાલ ખાલી જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અરવલ્લી (Aravalli)ના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હજી પણ ખાલી જ જોવા મળ્યા છે. જોકે, તેની સામે વરસાદ તો ભારે થયો છે.
ઉપરવાસમાં વરસાદના અભાવને કારણે 3 જળાશયો હાલ ખાલી
ઉલ્લેખનીય છે કે, સાર્વત્રિ વરસાદ છતાં જળાશયોમાં પાણીની આવક નહિવત જોવા મળી છે. એટલું જ નહીં પરંતુ મૂળ હકીકત તો એવી છે કે, ઉપરવાસમાં વરસાદના અભાવને કારણે 3 જળાશયો હાલ ખાલી જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, આ ત્રણ જળાશયો અરવલ્લી (Aravalli) જિલ્લા માટે જીવાદોરી સમાન છે. પરંતુ કુદરત જાણે આ વિસ્તારથી રૂઠી ગયો છે. કારણ કે, ઉપરવાસમાં નહિવત પ્રમાણમાં વરસાદ થયા અહીં આ જળાશયોમાં પાણીની આવક થઈ નથી.
મેશ્વો જળાશયની સપાટી 206.09 મીટર જેટલી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મેશ્વો જળાશયની સપાટી 206.09 મીટર જેટલી છે. તો માજુમ જળાશયની વાત કરવામાં આવે તો આ જળાશયની સપાટી 150.96 મીટર છે. આ સાથે વાત્રક જળાશયમાં પાણીની સપાટીની વાત કરવામાં આવે તો 128.15 મીટર છે. પરંતુ આ પાણી આવનારા સમયમાં ખુટી પણ શકે છે. જેથી અત્યારે આ જળાશયો ભરાવા જરૂરી છે. પરંતુ તેના માટે ઉપરવાસમાં વરસાદ થવો જોઈએ. કારણ કે, ત્યાં જો સારા એવા પ્રમાણમાં વરસાદ થાય તો જ અહીં ડેમમાં પાણીની આવક થઈ શકે તેમ છે. આમ, તો અત્યારે ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેથી અનેક જળાશયોમાં તો પાણીની આવક થઈ છે.