Surat : મહુવાના આંગલધરા ગામે બે ST બસ વચ્ચે ધડાકાભેર થઈ ટક્કર
અહેવાલ -ઉદય જાદવ ,સુરત
સુરત જિલ્લાના મહુવાના આંગલધરા ગામે બે એસટી બસોને અકસ્માત નડ્યો હતો. બંને બસ સામ સામે અથડાઈ હતી જેમાં 7 જેટલા મુસાફરોને ઈજા પહોચી હતી, એસટી બસ બીલીમોરા થી વ્યારા તેમજ બીજી બસ બેડમાર ગામેથી નવસારી જતી હતી તે દરમ્યાન અકસ્માતની આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.
સુરત શહેર તેમજ જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે એસટી બસો સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સુરત જીલ્લાના મહુવાના આંગલધરા ગામે પસાર થતી બે એસટી બસો સામ સામે અથડાઈ હતી અકસ્માતને લઈને બંને બસોને ભારે નુકશાન પહોચ્યું હતું
અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું બીજી તરફ અકસ્માતમાં ૭ જેટલા મુસાફરોને ઈજા પહોચી હોવાનું અને પાંચ ઈજાગરસ્તો ને અનાવલ હોસ્પુટલ ખાતે જયારે બે જેટલાં મુસાફરોને નવસારીહોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એક એસટી બસ બીલીમોરા થી વ્યારા તેમજ બીજી બસ બેડમાર ગામેથી નવસારી જતી હતી તે દરમયાન મહુવાના આંગલધરા ગામે આ અકસ્માત ની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો-ઉમવાડા અંડરબ્રિજમાં ત્રણ ફુટ પાણી ભરાયા,વાહનવ્યવહાર ઠપ્પ,રાહદારીઓ પરેશાન