Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat Crime : સાળાએ બનેવીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

સુરત શહેરમાં વધુ એક હત્યા ની ઘટના સામે આવી છે. પાલનપુર પાટિયાના એક એપાર્ટમેન્ટની ઘટનામાં સાળાએ બનેવીને ચપ્પુ ઘુસાડી મારી નાંખ્યા આશંકા છે. મયુરભાઈ પ્રવીણભાઈ રાઠોડ ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સિવિલમાં લઈ જવાયા હતા, જ્યાં મૃત જાહેર...
surat crime    સાળાએ બનેવીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

સુરત શહેરમાં વધુ એક હત્યા ની ઘટના સામે આવી છે. પાલનપુર પાટિયાના એક એપાર્ટમેન્ટની ઘટનામાં સાળાએ બનેવીને ચપ્પુ ઘુસાડી મારી નાંખ્યા આશંકા છે. મયુરભાઈ પ્રવીણભાઈ રાઠોડ ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સિવિલમાં લઈ જવાયા હતા, જ્યાં મૃત જાહેર કરાયો હતો. પરિવાર નોમના ગરબા રમી ઘરે આવતા મયુરભાઈ લોહીમાં ખરડાયેલી હાલતમાં મળી આવ્યા હતા. છાતીમાં ઘા મારી મયુરભાઈને પતાવી દેવાયો હતો. રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement

પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં સંબંધોને શર્મસાર કરતાં બનાવમાં સાળાએ જ બનેવીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેસી નાખ્યો હતો. જેથી પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આરોપીને પકડી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Advertisement

બીજા બનાવમાં સચીનમાં ઉન પાટીયા ખાતે રહેતી 36 વર્ષની અબીદાખાતુન જુલફ કારૃલીખાનની આજે વહેલી સવારે ઘરમાં અચાનક તબિયત બગડતા બેભાન થઇ ગઇ હતી. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી. તેને 3 સંતાન છે. તેના પતિ ડ્રાઇવીંગ કામ કરે છે. ત્રીજા બનાવમાં લસકાણા ડાયમંડ નગરમાં રહેતો 40 વર્ષનો સુશાંત વાસુદેવ પુડા શનિવારે લસકાણા ખાતે લુમ્સખાતામાં કામ કરીને ઘરે આવ્યો હતો દરમિયાન બપોરે તેને છાતીમાં દુઃખાવો થતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ ઓરીસ્સાના ગંજામનો વતની હતો.

આ  પણ  વાંચો -દેશભરમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.