Gandhinagar : કર્ણાવતી યુનિવર્સિટીમાં વિધાર્થીઓએ કર્યો હોબાળો, જાણો શું છે કારણ
ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીની મનમાની આવી સામે આવી છે ત્યારે ઉવારસદ કણૉવતી યુનિવર્સિટી ખાતે ફી મામલે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તમામ વિદ્યાર્થી પોતાની માંગને લઈને ભેગા થયા છે પરિક્ષા પર્વે અધર એક્ટિવિટીના નામે વિધાર્થીઓને ફી ભરવા કોલેજ વહીવટી તંત્ર દ્વારા દબાણ કરવામાં આવી રહ્યા છે
પરિક્ષાના બે દિવસ પહેલાં મેઇલ કરીને ફી ભરવા માટે વિદ્યાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે કેમ્પસ એડમિનિસ્ટ્રશન ના આશિષ ભંડેરીના ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે ત્યારે ફી નહિ ભરવામાં આવે તો અંતિમ સેમેસ્ટરની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ એવો નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિધાર્થીઓ દ્વારા કોલેજ મેનેજમેન્ટ તથા યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.ઘટના મામલો લૉ વિધાર્થીઓ દ્વારા બાર કાઉન્સિલ તેમજ ABVPને જાણ કરવામાં આવી છે પરીક્ષા હોવાથી મીડિયાને એન્ટ્રી આપવાનું ટાળ્યું.જે વ્યક્તિને જવાબ આપવા યોગ્ય છે તેની જગ્યા પર અન્ય વ્યક્તિ જવાબ આપવા બહાર આવ્યા હતા. સમગ્ર મામલો સમગ્ર મામલે કોલેજ પ્રશાસન અને વિધાર્થીઓ આમને સામને આવી છે .