Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal : ગોધરા SRP ગ્રુપ કેમ્પસ લીલુંછમ બન્યું, પાંચ જેટલા અલગ-અલગ પ્રકારના વન તૈયાર કરાયા

ગોધરા શહેરમાં આવેલા રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિના દૃઢ નિશ્ચય અને જવાનોની મહેનતને કારણે SRP ગ્રુપ-5ના કેમ્પસમાં પાંચ જેટલા અલગ-અલગ પ્રકારના વન તૈયાર કરવામાં આવ્યા છે, જેને લઇને હાલ સમગ્ર SRP ગ્રુપ કેમ્પસ લીલુંછમ બન્યું છે. સાથેસાથે અહીંયા રહેતા પોલીસજવાનો...
panchmahal   ગોધરા srp ગ્રુપ કેમ્પસ લીલુંછમ બન્યું  પાંચ જેટલા અલગ અલગ પ્રકારના વન તૈયાર કરાયા
Advertisement

ગોધરા શહેરમાં આવેલા રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિના દૃઢ નિશ્ચય અને જવાનોની મહેનતને કારણે SRP ગ્રુપ-5ના કેમ્પસમાં પાંચ જેટલા અલગ-અલગ પ્રકારના વન તૈયાર કરવામાં આવ્યા છે, જેને લઇને હાલ સમગ્ર SRP ગ્રુપ કેમ્પસ લીલુંછમ બન્યું છે. સાથેસાથે અહીંયા રહેતા પોલીસજવાનો અને તેઓના પરિવારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સાથે જ પોલીસ જવાનોના પરિવાર માટે ફરવાલાયક સ્થળ પણ બન્યું છે. SRP કેમ્પસ ખાતે તૈયાર કરવામાં આવેલા બગીચા માં બટરફ્લાય પાર્ક, મોરવન, કોયલવન, આયુર્વેદ વન અને મિયાવાકીવન તૈયાર કરીને જવાનો દ્વારા તેની માવજત કરવામાં આવી રહી છે.

Advertisement

પોલીસ’ શબ્દ કાને પડે કે તરત જ સામાન્ય વ્યક્તિના માનસપટ પર એક ચહેરો આવી જાય કે ખાખી વર્ધી અને હાથમાં ડંડા સાથેનું પાત્ર છવાઈ જાય. જોકે પોલીસનું મૂળ કામ તો કાયદો-વ્યવસ્થા જાળવવાનું હોય છે. પણ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા SRP ગ્રુપ-5 કેમ્પસમાં છેલ્લાં એક વર્ષ પહેલા SRP ગ્રુપના પોલીસ જવાનોની મહેનતથી પર્યાવરણની સુરક્ષા કરતાં હજારો વૃક્ષો અહીં લહેરાઈ રહ્યાં છે. SRP જૂથ-5 કેમ્પસમાં જંગલ વાવવાનું અભિયાન વર્ષ 2022 માં હાથ ધરાયું હતું. SRP કેમ્પસના મુખ્ય મથકના ગ્રીન કવરમાં 100% વધારો કરવાના નિર્ધાર સાથે પરંપરાગત પદ્ધતિથી તદ્દન વિપરીત જંગલ વાવવાનું અભિયાન હાથ ધરાયુ હતુ અને SRP ના સેનાપતિ અને એસપીએસ અધિકારી તેજલ પટેલના નેતૃત્વમાં SRP ગ્રુપ-5ના જવાનો તેનું જતન-સંવર્ધન કરી રહ્યા છે.

Advertisement

SRP કેમ્પસ આમ તો 114 એકરમાં ફેલાયેલું છે. જેમાં કેમ્પસના રહેણાક મકાનો અને કચેરીઓ, મેદાન વગેરે બાદ કરતાં બાકી બચતી જગ્યાએ પરંપરાગત પદ્ધતિથી 15,000 જેટલા વૃક્ષો આવેલા છે. SRPના સેનાપતિ તેજલ પટેલે જણાવ્યું હતું કે, તેઓ અને તેઓની ટિમ છેલ્લા એક વર્ષથી બગીચા તૈયાર કરવામાં માટેના કામે લાગ્યા હતા, ગત વર્ષે તેઓએ એસઆરાપી કેમ્પસ માં બે મિયાવાકી વન તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ જાત ના વૃક્ષો લગાવવામાં આવ્યા હતા. જેના પાછળ નો હેતુ એક જ હતું કે, જવાનો બંદોબસ્ત માટે વધારે બહાર રહેતા હોય છે ત્યારે તેઓનો પરિવાર કેમ્પસ ખાતે રહેતો હોય છે ત્યારે પરિવાર ને હરવા ફરવા લાયક અને પ્રાકૃતિક ના જે અલગ અલગ જીઓ છે તેઓને નજદીક થી જાણી શકીએ અને તેનો આનંદ લઈ શકીએ અને તેના સ્વાસ્થ્ય માટે જે લાભો છે તે મેળવી શકીએ, જેમાં જ્યારે વોકિંગ કરતા હોય કે અંદર ફરતા હોય ત્યારે શુદ્ધ હવા મેળવી શકીએ.

ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલ SRP ગ્રુપ-5 ના જવાનો અને અધિકારીઓના અથાગ પરિશ્રમ થકી એક વર્ષ પહેલા કેમ્પસમાં બે મિયાવાકી ફોરેસ્ટ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં 20×20 ચોમીમાં 20 જાતની છોડની જાત સાથે 1089 વૃક્ષોનું વાવેતર કરી મોરવન ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે,તે જ રીતે 20×20 ચોમીમાં 30 જાતની છોડની જાત સાથે 1082 વૃક્ષોનું વાવેતર કરી કોયલવન બનાવ્યું છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં આયુર્વેદિક વન અને બટરફ્લાય પાર્કનું પણ નિર્માણ SRP ગ્રુપના જવાનો અને અધિકારીઓ દ્વારા કરાયું છે.

અકીરા મિયાવાકી એક જાપાનીઝ બોટનિસ્ટ છે, જેમણે વૃક્ષો વાવવાની નવી ટેકનીક વિકસાવી છે. જેમાં જમીનમાં દેશી જાતના વૃક્ષો એકબીજાથી ખૂબ જ નજીક નજીક વાવવામાં આવે છે જેથી એકદમ ગીચ જંગલ તૈયાર થાય છે અને અને આની ખાસિયત એ છે કે બહુ ઓછાં સમયમાં ઉછેર થાય છે અને ત્રણ વર્ષમાં એકદમ ઘનઘોર જંગલમાં પથરાય જાય છે અને માવજતની પણ ખૂબ ઓછી જરૂરિયાત હોય છે, ઇમ્યુનિટી પણ સારી હોય છે, તદ્પરાંત મિયાવાકી વનના વૃક્ષો ગમે તેવા વાવાઝોડા કે કુદરતી આફતો આવે ત્યારે તેના મૂળ એટલા બધા મજબૂત અને એકબીજા સાથે સંકળાયેલા હોય છે કે તેને નુકસાન થતું નથી.જેના આના લીધે કુદરતી વાતાવરણ પણ જળવાય રહે છે.કેટલાક પક્ષીઓ અને અન્ય જીવો આ જંગલમાં પોતાનો આશરો લઈ શકે છે અને આ ઉપરાંત જમીનમાં પાણીનું સ્તરમાં પણ સારા એવા ફાયદો થાય છે.

SRP ગ્રુપના જવાનોની મહેનતને કારણે લાઈનના બાળકો પ્રકૃતિ વિશે જાણી શકે અને પ્રકૃતિમાં વોક કરવાનો ફાયદો મળે તેમજ પ્રકૃતિ સંબંધી ફાયદાઓ અમારા ગ્રુપના જવાનો અને પરિવારોને થાય છે. આમ હાલમાં SRP ગ્રુપ-5 ના જવાનોએ આ કાર્યને માત્ર સરકારી લક્ષ્યાંક પૂર્ણ કરવાના પ્રયાસ રુપે નહી પરંતુ પર્યાવરણ સુધારણાના એક મિશન તરીકે અપનાવ્યું છે. તેના જ કારણે સમગ્ર જૂથની ટીમ એક ગ્રીન બ્રિગેડ તરીકે કામ કરી રહી છે. SRP ગ્રુપ ના જવાનો કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે કેમ્પસ થી 3 મહિના સુધી બહાર રહેતા હોય છે, ત્યારે તેઓના પરિવારને હરવા ફરવા માટે અહીંયા કોઈ બાગ બગીચા ન હોવાના કારને પરિવાર સ્ટ્રેસ માં આવતો હતો જેના કારને જવાનોને પણ પરિવારને લઈ ચિંતા સતાવતી હતી પરંતુ હાલ ગોધરા SRP કેમ્પસ માં અલગ અલગ પ્રકારના બાગ બગીચા બનાવવાથી તેઓનો પરિવાર કેમ્પસની અંદર જ ખુશ ખુશાલ જોવા મળી રહ્યું છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો : Panchmahal : ગોધરામાં SRP જવાનોના બાળકો માટે અદ્યતન લાઈબ્રેરીનું આયોજન કરાયું

Tags :
Advertisement

.

×