Panchmahal Canal: પાનમ ડેમની કેનાલમાં 3 મુસ્લિમ યુવકો ન્હાવા જતા ડૂબ્યા
Panchmahal Canal: આજે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આજે દેશના દરેક મુસ્લિમ ભાઈ-બહેનોના સાથે મળીને ઈદની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ પંચમહાલના આવેલા એક મુસ્લિમ પરિવારના ઘરમાં આજે માતમનો માહોલ સર્જાયો હતો.
- પંચમહાલની કેનાલમાં મુસ્લિમ યુવકો ડૂબ્યા
- ન્હાવા માટે કેનાલમાં કૂદયા હતા
- પરિવારમાં શોકનો માહોલ સર્જાયો
Panchmahal Canal
મળતી માહિતી મુજબ, પંચમહાલમાં પાનમ ડેમ આવેલી છે. ત્યારે પંચમહાલમાં આ ડેમની મહાદેવ મંદિર પાસે આવેલી કેનાલમાં 3 મુસ્મિમ યુવકો ન્હાવા માટે કૂદયા હતા. પરંતુ આકસ્મિકરૂપે 3 યુવકો કેનાલમાં ડૂબી ગયા હતા. જોકે આ 3 યુવકો કેવી રીતે ડૂબ્યા હતા, તે સંપૂર્ણ માહિતી હજુ અકબંધ છે.
3 યુવકો મહીસાગરના રહેવાસી હતા
જોકે આ 3 યુવકો મહીસાગર જિલ્લાના કોથંબાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત આ 3 યુવકોને હાલ પીએમ અર્થે પંચમહાલની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેની સાથે પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને આગળ તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: Surat BJP Program: સી. આર. પાટીલની અધ્યક્ષતામાં માછી સમાજે સ્નેહમિલનનું કર્યું આયોજન