Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દશેરા નિમિતે કરણીસેના દ્રારા શોભાયાત્રા તથા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

અહેવાલ -યશપાલસિંહ વાઘેલા-બનાસકાંઠા આજ રોજ શ્રી રાજપુત કરણીસેના દ્રારા બનાસકાંઠા કરણીસેના અધ્યક્ષ અને થરાદના રાજવી અર્જુનસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે વિજય દસમી નિમીતે શોભાયાત્રા તેમજ શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમા બનાસકાંઠાના થરાદ વાવ સુઈગામ તાલુકાના દરબારો મોટી સંખ્યામા શ્રી રાજપુત...
05:24 PM Oct 24, 2023 IST | Hiren Dave

અહેવાલ -યશપાલસિંહ વાઘેલા-બનાસકાંઠા

આજ રોજ શ્રી રાજપુત કરણીસેના દ્રારા બનાસકાંઠા કરણીસેના અધ્યક્ષ અને થરાદના રાજવી અર્જુનસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે વિજય દસમી નિમીતે શોભાયાત્રા તેમજ શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમા બનાસકાંઠાના થરાદ વાવ સુઈગામ તાલુકાના દરબારો મોટી સંખ્યામા શ્રી રાજપુત કરણીસેનાને વધારે મજબુત બનાવવા માટે થરાદ વાવ તેમજ સુઈગામ તાલુકાના ક્ષત્રિય દરબારો વિશાળ સંખ્યામા હાજર રહ્યા હતા જેમા પેદલયાત્રા બાઈક તેમજ ગાડી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વિશાળ સંખ્યા મા ક્ષત્રિય દરબારો શોભાયાત્રા મા જોડાયા હતા.

આ શોભાયાત્રામાં વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિહ વાઘેલા , ગુમાનસિહ માડકા ભરતસિંહ વાઘેલા ફોરણા ઉપસ્થિત રહ્યા હતા નારણદેવી મંદિર ખાતે શસ્ત્ર પુજન કરી રાજપુતી પોશાકમા કેશરીયા સાફા અને વાઈટ શર્ટ તેમજ પેદલયાત્રા બાઈક તથા ગાડીઓ પર કેશરી ઝંડી ઓ સાથે થરાદ આશાપુરા નારણદેવી માતાના મંદિરે થી હનુમાન ગોળાઈથી કોગ્રેસ કાર્યલય આગળ થરાદ ડેઝર્ટ હોટલ ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી

આ શોભાયાત્રા નું રાજકીય સંગઠન દ્વારા તેમજ વિવિધ સમાજના સામાજીક સંગઠનો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા તલવાર સાલ ફૂલહાર થી રાજવિરો નુ થરાદ ની પ્રજા એ સ્વાગત કર્યુ હતુ

આ  પણ  વાંચો -PALANPUR : નિર્માણાધીન બ્રિજ ધરાશાયી મામલે 11 સામે પોલીસમાં ફરિયાદ

 

Tags :
and Shastra PoojanDussehraKarniSenaoccasionprocessionTharad
Next Article