Dwarika: જાણો... Dwarika અને સબમરીન પર લોકોની પ્રતિક્રિયા
ગુજરાત સરકાર દ્વારા Dwarikaમાટે અનોખી પહેલ શરું કરવામાં આવી
સમુદ્રમાં ગરકાવ થયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા (Dwarika ) નગરી જોવાની ઇચ્છા કોને ના હોય..? ભારતના સાત પવિત્ર યાત્રાધામોમાં Dwarika નગરીનો પણ સમાવેશ થાય છે. હવે આ ડુબી ગયેલી Dwarika નગરીને જોવાનો અવસર મળે તેવી શક્યતાઓ ઉભી થઇ છે. ગુજરાત સરકાર દ્વારા ગરકાવ થયેલી પ્રાચીન Dwarika જોવા માટે સબમરીનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેના માટે ગુજરાત સરકાર દ્વારા બોમ્બેમાં સ્થિત એક ખાનંગી કંપનીની પસંદગી કરવામાં આવી છે. તેના અંતર્ગત Mazagon ડોક પાસેથી MoU સાઈન કરાવવામાં આવ્યા છે. આ કંપની Dwarika જોવા માટેની સબમરીનનું નિર્માણ કરશે.
ગુજરાત સરકાર સબમરીનની મદદથી Dwarika નગરીના દર્શન કરાવશે
આ પહેલ વાઈબ્રેંટ ગુજરાતના હેઠળ કાર્યરત કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતું પ્રવાસીઓના પ્રમાણમાં વધારો કરવાનો છે. વિશ્વભરમાં તે માન્યતાઓ સ્થાપિત છે કે કૃષ્ણ Dwarika માં શાસન કર્યુ હતું. પરંતુ આ સબમરીનના આધારે Dwarika દર્શનના પર લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહ્યા છે. એક નિવેદન એવું સામે આવ્યું છે કે, આ નિર્ણયથી સૌ લોકો ખુશ છે. લોકો તેમના પરિવાર સાથે સબમરીનમાં બેસીને Dwarika ના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થશે. અમે ઈચ્છીએ છીએ કે સબમરીનની વ્યવસ્થા સરકાર દ્વારા જલ્દીથી જલ્દી શરું કરવામાં આવવી જોઈએ. તે ઉપરાંત ભારતની ભાવિ પેઢીને વિશ્વના સૌથી અલૌકિક સ્થળ વિશે જ્ઞાન પ્રાપ્ત થશે.
સબમરીનમાં ક્યા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે ?
જો કે એકવારીમાં સબમરીનમાં બે પાયલટ, બે Scuba Driver, એક ગાઈડ અને 24 યાત્રીઓ સાથે સબમરીન પાણીની અંદર લઈ જવામાં આવશે. આ સબમરીન અરબ સાગરની અંદર 300 ફીટ નીચે જશે અને ત્યાંથી વિલૂપ્ત થઈ રહેલી Dwarika ના કરી શકશે.
આ પણ વાંચો: Dwarka : હવે સબમરીનથી થઇ શકશે સમુદ્રમાં ગરકાવ થયેલી દ્વારિકા દર્શન