Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

khel Mahakumbh 2.0 : CM ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0 ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટનો કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ રમતગમ મંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર. અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે યોજાયો કાર્યક્રમ. ખેલમહાકુંભ માટેનું રજીસ્ટેશન પણ કાલથી શરૂ થશે ખેલમહાકુંભની શરૂઆત થઈ ત્યારે 16 લાખ યુવાનોએ રજીસ્ટ્રેશન...
khel mahakumbh 2 0   cm ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2 0 ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટનો કરાવ્યો પ્રારંભ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ
  • રમતગમ મંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર.
  • અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે યોજાયો કાર્યક્રમ.
  • ખેલમહાકુંભ માટેનું રજીસ્ટેશન પણ કાલથી શરૂ થશે
  • ખેલમહાકુંભની શરૂઆત થઈ ત્યારે 16 લાખ યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું
  • ગયા વર્ષે 55 લાખ જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું હતું 

Advertisement

અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ખેલ મહાકુંભ 2.0 ની રજીસ્ટ્રેશન લિંક તથા ટોલ ફ્રી નંબરને ખુલ્લો મૂક્યો હતો.

Advertisement

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જે 'ખેલે તે ખીલે' ના ઉમદા વિચાર સાથે આરંભાયેલ ખેલમહાકુંભનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. ત્યારે રાજ્ય સરકાર રમતવીરો માટે તમામ પ્રકારની મદદ કરવા સંકલ્પબદ્ધ છે.

Advertisement

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ખેલકૂદ ક્ષેત્રે રાજ્યનું નામ નહોતું પરંતુ ખેલમહાકુંભના સફળ આયોજનોથી હવે રાજ્યના યુવાનો દેશ-વિદેશમાં ઝળક્યા છે.ગુજરાત આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વારાણસી ખાતે આશરે 30,000 જેટલા લોકો મેચ નિહાળી શકે તેવા સ્ટેડિયમનું ખાતમુર્હુત કર્યું છે.રાજ્ય સરકારે 36મી નેશનલ ગેમ્સનું આયોજન 3 મહિનાના ખૂબ જ ટૂંકા સમયગાળામાં કર્યું તે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે તેવું એમણે ઉમેર્યું હતું.ખેલમહાકુંભ 2.0માં ભાગ લેવા ઇચ્છુક યુવાનો https://khelmahakumbh.Gujarat.gov.in ર ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ વિગતો મેળવી શકશે. આ ઉપરાંત 1800 274 6151 ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.

આ પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રમતવીરોના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા યુવાનો ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે તે માટે ખેલમહાકુંભ વિવિધ રમતો માં વિજેતા થનાર ખેલાડીઓને કુલ 45 કરોડ રૂપિયાના ઇનામો મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં આપવામાં આવશે.

ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર યુવાનોને વધુમાં વધુ કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે તે સંદર્ભે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વખતે ખેલમહાકુંભમાં બદલાવ લાવવામાં આવ્યો છે. 2010માં જ્યારે ખેલમહાકુંભની શરૂઆત થઈ ત્યારે 16 લાખ યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું હતું જ્યારે ગયા વર્ષે 55 લાખ જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું એ ગૌરવની વાત છે.

આ વખતે ખેલમહાકુંભમાં કરવામાં આવેલા બદલાવ વિશેની વાત કરતા શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ખેલમહાકુંભ 2.0માં 35 રમતો ઉપરાંત વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી 4 રમતો મળી કુલ 39 જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું છે.
આ ઉપરાંત અંડર 9 વયજૂથનો સમાવેશ કરવામાં આવ્યો છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે યુવાનોના હિતમાં નિર્ણય કર્યો કે, ખેલમહાકુંભ 2.0માં કોઈપણ ખેલાડી 2 રમતમાં ભાગ લઈ શકશે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, આ વખતે ખેલમહાકુંભ 2.0માં દરેક રમતમાં વિજેતા ખેલાડીઓને આપવામાં આવતી રોકડ પુરસ્કારની રકમ પારદર્શકતા સાથે જે - તે વિજેતા ખેલાડીઓના બેંક ખાતામાં RTGSથી તબદીલ કરવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય અને દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચે કોઈ તફાવત નહીં રાખવા રાજ્ય સરકારે વ્યવસ્થાઓ કરી છે.વધુમાં તેમણે કહ્યું કે, રાજ્યકક્ષાની રમતમાં વિજેતા થયેલા ઉમેદવારોને નેશનલ - ઈન્ટરનેશનલ કક્ષાએ જવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.તેમણે કહ્યું કે, એશિયન ગેમ્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી રૂ.5 લાખની રકમ ઈનામ રૂપે આપવામાં આવશે.

રમતગમત વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ખેલમહાકુંભ એ ગ્રાસરૂટ લેવલે યુવાનોનું ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કરી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું માધ્યમ છે.તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ 2010માં પ્રારંભ કરાવેલ ખેલમહાકુંભ આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સફર ખૂબ જ પ્રેરણાદાયક રહી છે.વધુમાં તેમણે જણાવ્યું કે, રમતગમત વિભાગનો પ્રયાસ છે કે રાજ્યના દરેક રમતવીરોને યોગ્ય તક પૂરી પાડવામાં આવે.

આ પ્રસંગે શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે., સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ શ્રી આર.ડી.ભટ્ટ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્રી કે.એસ.વસાવા,સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડો.અર્જુનસિંહ રાણા તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ  પણ  વાંચો -KHEL MAHAKUMBH 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેન રેઝર લોન્ચ  

Tags :
Advertisement

.