Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ નર્સિંગ કોલેજમાં ફરી વિવાદ,કેન્ટીનના ભોજનમાંથી નીકળી ઈયળ

રાજ્યમાં વિવિધ સ્થાનો પર ભોજન સાથે ચેડાં જોવા મળી રહ્યો છે. જેમાં હવે કોલેજની કેન્ટીન પણ વિવાદમાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટની વધુ એક નર્સિંગ કોલેજ આવી વિવાદમાં આવી છે. જેમાં કેન્ટીનના ભોજનમાંથી ઈયળ નીકળી હોવાની ફરિયાદ સામે આવી...
રાજકોટ નર્સિંગ કોલેજમાં ફરી વિવાદ કેન્ટીનના ભોજનમાંથી નીકળી ઈયળ

રાજ્યમાં વિવિધ સ્થાનો પર ભોજન સાથે ચેડાં જોવા મળી રહ્યો છે. જેમાં હવે કોલેજની કેન્ટીન પણ વિવાદમાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટની વધુ એક નર્સિંગ કોલેજ આવી વિવાદમાં આવી છે. જેમાં કેન્ટીનના ભોજનમાંથી ઈયળ નીકળી હોવાની ફરિયાદ સામે આવી છે.

Advertisement

આ અંગેની માહિતી અનુસાર, રાજકોટના જામનગર રોડ પર આવેલી શ્રી આનંદ નર્સિંગ કોલેજના ભોજનમાંથી ઈયળ નીકળી છે. જેમાં કોલેજમાં 500 થી 600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારના ચેડાં કરવામાં આવી રહ્યા છે.

Advertisement

નોંધનીય છેકે, વિદ્યાર્થીઓ પાસે તગડી ફી વસૂલવામાં આવે છે પણ ભોજનમાં વારંવાર વિવાદ સામે આવી રહ્યા છે. આ અગાઉ પણ ઘણાં સ્થાનો પર અવરનવર ભોજનમાંથી ઈયળ અને વિવિધ કિટકો બહાર નીકળતી રહે છે. જેમાં અગાઉ જાણીતા હોટલમાંથી જીવાત સહિતના જીવો નીકળતા જોવા મળે છે.

Advertisement

આ પણ વાંચો-ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરીઓ ઝડપાઈ

Tags :
Advertisement

.