Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : કેન્દ્ર સરકાર અને PMએ ઘટનાને ગંભીરતાથી લીધી છે: ઋષિકેશ પટેલ

પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનારની ડેડ બોડી પરત લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે
pahalgam terror attack   કેન્દ્ર સરકાર અને pmએ ઘટનાને ગંભીરતાથી લીધી છે  ઋષિકેશ પટેલ
Advertisement
  • ઘટનામાં ગુજરાતના 3 લોકોના થયા મોત
  • મૃતદેહોને લાવવા માટેની વ્યવસ્થા સરકારે કરી છે
  • ભૂતકાળની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મૃત્યુ અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. પહેલગામમાં આતંકી હુમલાને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) કહ્યું, આ ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ ગંભીરતાથી નોંધ લીધી છે.

Advertisement

ડેડ બોડી પરત લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે

પીએમ મોદી (PM Modi) સાઉદીનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનારની ડેડ બોડી પરત લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે. ભૂતકાળની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે અને આ ઘટનાનો પણ તેવો જ જવાબ આપવામાં આવશે.

Advertisement

કેન્દ્ર સરકાર અને PMએ ઘટનાને ગંભીરતાથી લીધી

પહેલગામમાં આતંકી હુમલા મુદ્દે ઋષિકેશ પટેલે (Rushikesh Patel) વધુમાં જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર અને PMએ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ઘટનામાં ગુજરાતના 3 લોકોના મોત થયા છે. મૃતદેહોને લાવવા માટેની વ્યવસ્થા સરકારે કરી છે. પહેલગામમાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત છે તે બપોરે 3 વાગ્યે ફ્લાઈટ મારફતે મૃતદેહ રવાના થશે. ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ ફ્લાઈટથી લવાશે તથા ફ્લાઈટમાં અન્ય 17 ગુજરાતીઓને પરત લવાશે. વાયા મુંબઈ થઈને ફ્લાઈટ અમદાવાદ પહોંચશે. અન્ય એક મૃતક શૈલેષભાઈના મૃતદેહને લાવવામાં વિલંબ થઇ રહ્યો છે. જેમાં અન્ય ફ્લાઈટથી શૈલેષભાઈનો મૃતદેહ લવાશે.

આ પણ વાંચો: Pahalgam Terror Attack : આતંકી હુમલામાં જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે - ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Rajkot માં રોગચાળો વકરતા બે બાળકીના મોત, મનપાના ચોપડે ઝાડા ઉલ્ટીના 400 થી વધુ કેસ નોંધાયા

featured-img
Top News

Ahmedabad Plane Crash : અત્યાર સુધીમાં 217 DNA મેચ થયા, 199 મૃતદેહ પરિવારને સોંપાયા

featured-img
Top News

IND Vs ENG: એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની તસવીર આવી સામે

featured-img
આંતરરાષ્ટ્રીય

Israel Iran War : Tel Aviv પર થયેલા હુમલા બાદ ઇરાનના લીડરનું મોટું નિવેદન

featured-img
ક્રાઈમ

Surat : રાજ્યમાં પ્રથમ વખત સાઇબર ફ્રોડના આરોપીઓ સામે GUJCTOC નો ગુનો

featured-img
Top News

Surendranagar Rain : ઝાલાવાડ પર ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન, જિલ્લાના 11 ડેમો પૈકી 6 ડેમ ઓવરફ્લો

Trending News

.

×