રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો
રાજયમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહયો છે. જેમાં આજે રાજ્યમાં કોરોનાના 942 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણથી 679 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત નથી થયું
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6537 એક્ટિવ કેસ છે.જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે.જ્યારે 6523 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,37,664 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,970 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 321 કેસ નોંધાયા છે, વડોદરા કોર્પોરેશનમાં 98, મહેસાણામાં 54, બનાસકાંઠામાં 47, સુરત કોર્પોરેશનમાં 42, વડોદરામાં 42, સુરતમાં 41, રાજકોટ કોર્પોરેશનમાં 34, ગાંધીનગરમાં 32, અમરેલીમાં 23. ગાંધીનગર કોર્પોરેશનમાં 22, રાજકોટમાં 22, ભાવનગર કોર્પોરેશનમાં 19, નવસારીમાં 15, આણંદમાં 14, પાટણમાં 13, સાબરકાંઠામાં 13, ભરૂચમાં 12, પોરબંદરમાં 10, જામનગર કોર્પોરેશનમાં 9, અમદાવાદમાં 8, કચ્છમાં 8, મોરબીમાં 8, વલસાડમાં 8, ગીર સોમનાથમાં 4, સુરેન્દ્રનગરમાં 4, બોટાદમાં 3, ખેડામાં 3, પંચમહાલમાં 3, દેવભૂમિ દ્વારકામાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, તાપીમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1, જામનગરમાં 1 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.