Gandhinagar : ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં 3 પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક
- ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક (Gandhinagar)
- આ પંચનાં અધ્યક્ષની નિમણૂક બાદ વધુ 3 સભ્યોની નિમણૂક કરાઈ
- સાબરકાંઠા, વડોદરા અને ભાવનગરમાંથી સભ્યોની નિમણૂક કરવામાં આવી
- ફેબ્રુઆરી-2025 માં પંચનાં સભ્ય સચિવ તરીકે IAS B.P. ચૌહાણની નિમણૂક કરાઈ હતી
Gandhinagar : ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં રાજ્ય સરકારે ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે. આ પંચનાં અધ્યક્ષ તરીકે યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ 3 સભ્યોની નિમણૂક કરી છે. ફેબ્રુઆરી-2025 માં આ રાજ્ય નાણાં પંચનાં (Gujarat State Fourth Finance Commission) પૂર્ણકાલીન સભ્ય IAS B.P. ચૌહાણની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad : નાના બાળક સાથે પરિણીતાએ રડતા-રડતા વીડિયો બનાવ્યો, ન્યાયની કરી માગ
આ પંચનાં અધ્યક્ષની નિમણૂક બાદ વધુ 3 સભ્યોની નિમણૂક કરાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં (Gandhinagar) રાજ્ય સરકારે ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે. અગાઉ, આ પંચનાં અધ્યક્ષ તરીકે યમલભાઈ વ્યાસની (Yamalbhai Vyas) નિમણૂક કરાઈ હતી, ત્યાર બાદ હવે રાજ્ય સરકારે પંચમાં વધુ 3 સભ્યોની નિમણૂક કરી છે, જેમાં સાબરકાંઠાનાં (Sabarkantha) જયંતિલાલ દેવાભાઈ પટેલ, વડોદરાનાં (Vadodara) સુનીલ સોલંકી અને ભાવનગરનાં (Bhavnagar) અભયસિંહ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Junagadh : વાહનચેકિંગ સમયે બાઇકચાલકે ટ્રાફિક SI ને જ મારી દીધી ટક્કર!
પૂર્ણકાલીન સભ્યની સભ્ય સચિવ તરીકે નિમણૂક થતા 5 સભ્યની નિમણૂક પૂર્ણ
જણાવી દઈએ કે, નાણાં પંચનાં અધ્યક્ષ સહિત પાંચથી વધે નહીં એ રીતે સભ્યોની નિમણૂક સાથે રાજ્ય નાણાં પંચની રચના કરી શકવાની જોગવાઈ છે. રાજ્ય સરકારે અગાઉ અધ્યક્ષની નિમણૂક કર્યા બાદ હવે વધુ 3 સભ્યની પૂર્ણકાલિન સભ્ય તરીકે નિમણૂક અને એક પૂર્ણકાલિન સભ્યની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરતાં રાજ્ય નાણાં પંચમાં હવે 5 સભ્યોની નિયુક્તિ પૂર્ણ થઈ છે. આ રાજ્ય નાણાં પંચના સભ્ય સચિવ તરીકે IAS બી. પી. ચૌહાણની નિમણૂક ફેબ્રુઆરી-2025 માં કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Ahmedabad : ACP-PI કક્ષાના અધિકારીને શહેર પો. કમિશનર જી.એસ. મલિકની કડક સૂચના!