Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં કોરોનાના નવા 282 કેસ નોંધાયા, અમદાવામાં 80 કેસ

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 282  કેસ નોંધાયા છે.  છે  જ્યારે કોરોના સંક્રમણથી 352 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે  આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1894  એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1999 દર્દીઓ સ્ટેબલ
04:06 PM Aug 25, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 282  કેસ નોંધાયા છે.  છે  જ્યારે કોરોના સંક્રમણથી 352 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે  આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1894  એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1999 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,55,225 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જેમાં કોરોનાના નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં  78, વડોદરામાં 21 , સુરતમાં 17, સુરત જિલ્લામાં 15, રાજકોટમાં 13, વલસાડમાં 13, પંચમહાલમાં 11, ગાંધીનગરમાં 10, રાજકોટ જિલ્લામાં 10, ભરૂચમાં 09, બનાસકાંઠામાં 08, વડોદરામાં 09, આણંદમાં 06, અરવલ્લીમાં 06, જામનગરમાં 06, કચ્છમાં 06, નવસારીમાં 06, જામનગર જિલ્લામાં 05, ખેડામાં 05, અમરેલીમાં 04, છોટા ઉદેપુરમાં 04, દેવભૂમિ દ્વારકામાં 04, તાપીમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, ગાંધીનગર જિલ્લામાં 02, ગીરસોમનાથમાં 02, મહિસાગરમાં 02, મોરબીમાં 02, સાબરકાંઠામાં 02, ભાવનગરમાં 01, મહેસાણામાં 01 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.આજે 352 દર્દી સાડા થઈને ઘેર પરત ફર્યા છે.
Tags :
282newcases80casesAhmedabadcoronahaveGujaratGujaratFirstreported
Next Article