Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં કોરોનાના નવા 251 કેસ નોંધાયા, અમદાવાદમાં 67 કેસ, એક દર્દીનું મોત

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના 251 કેસ નોંધાયા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. જ્યારે કોરોના સંક્રમણથી 208 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1954 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર à
ગુજરાતમાં  કોરોનાના નવા 251 કેસ નોંધાયા  અમદાવાદમાં 67 કેસ  એક દર્દીનું મોત

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના 251 કેસ નોંધાયા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. જ્યારે કોરોના સંક્રમણથી 208 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા થઈ ગયો છે.

Advertisement

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1954 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1939 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,56,727 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. નવસારીમાં કોરોનાના કારણે આજે એક દર્દીનું મોત થયું છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,006 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Advertisement

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 66 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 39, સુરત કોર્પોરેશનમાં 23, રાજકોટ 16, કચ્છ 14, વલસાડ 12,મહેસાણા 9, સુરત 9, બનાસકાંઠા 7, ભરૂચ 6, ભાવનગર કોર્પોરેશન 6, અમરેલી 5, રાજકોટ કોર્પોરેશન 5, નવસારી 4, આણંદ 3, ગાંધીનગર કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશન 3, પોરબંદર 3, વડોદરા 3, અરવલ્લી 2, ખેડા 2, મોરબી 2, સાબરકાંઠા 2, તાપી 2, અમદાવાદ 1, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, સુરેન્દ્રનગર 1 એમ કુલ 251 કેસ નોંધાયા છે.

Advertisement

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે 69,191 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 193 ને રસીનો પ્રથમ અને 545 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 22 ને રસીનો પ્રથમ અને 26 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 6085 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 183 ને રસીનો પ્રથમ અને 134 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 62003 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,30,20,848 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.