Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dinosaur Egg Found in MP: એમપીના ગામમાં લોકો લંબગોળ પથ્થરને દેવદૂત માનતા હતાં, તે નિકળ્યા ડાયનાસોર ઈંડા

ડાયનાસોરના ઈંડાને 'કકર ભૈરવ' તરીકે પૂજતા હતા કહેવામાં આવે છે કે શ્રદ્ધાએ તર્ક અને વિજ્ઞાન પણ સ્વીકારતી નથી. એમપીના ધારમાં પણ કંઈક આવું જ બન્યું છે. અત્યાર સુધી જેને લોકો દેવદૂતનો પથ્થર માનીને પૂજતા હતાં. તે પથ્થરને નિષ્ણતો દ્વારા ડાયનાસોરના...
03:53 PM Dec 19, 2023 IST | Aviraj Bagda

ડાયનાસોરના ઈંડાને 'કકર ભૈરવ' તરીકે પૂજતા હતા

કહેવામાં આવે છે કે શ્રદ્ધાએ તર્ક અને વિજ્ઞાન પણ સ્વીકારતી નથી. એમપીના ધારમાં પણ કંઈક આવું જ બન્યું છે. અત્યાર સુધી જેને લોકો દેવદૂતનો પથ્થર માનીને પૂજતા હતાં. તે પથ્થરને નિષ્ણતો દ્વારા ડાયનાસોરના ઈંડાના અવશેષો તરીકે પૂરવાર કરવામાં આવ્યા છે. એક અહેવાલ અનુસાર, પડલ્યા ગામના વેસ્તા મંડલોઈ કુટુંબ તેમના પૂર્વજોની પરંપરાને અનુસરીને અમુક લંબગોળ પથ્થરોને 'કકર ભૈરવ' તરીકે પૂજતા હતા. તેઓ માનતા હતા કે આ પથ્થરોની પૂજા કરવાથી 'કુલદેવતા' તેમના ખેતરો અને પશુઓને મુશ્કેલીઓથી બચાવશે.

'કકર' એટલે જમીન અથવા ક્ષેત્ર અને 'ભૈરવ'નો અર્થ ભગવાન છે. મંડલોઈના પ્રમાણે અન્ય ઘણા લોકો ધાર અને આસપાસના જિલ્લાઓમાં ખોદકામ દરમિયાન મળેલા આવા લંબગોળ પથ્થરની પૂજા કરે છે. જો કે જ્યારે લખનૌની બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓસાયન્સિસના નિષ્ણાતોએ તાજેતરમાં વિસ્તારની મુલાકાત લીધી અને આ 'પથ્થરઓ' વિશે જાણ્યું ત્યારે હકીકત સામે આવી હતી. તેઓએ આ લંબગોળ આકારના વિવિધ પથ્થરોની પૂજા કરી ત્યારે આવે આવ્યું કે... સ્થાનિક રહેવાસીઓ જે 'સ્ટોન બોલ્સ'ની પૂજા કરતા હતા તે ડાયનાસોરની ટાઇટેનોસોરસ પ્રજાતિના ઇંડા હતા.

આ પ્રજાતિ સૌ પ્રથમ 1877 માં નોંધવામાં આવી હતી

તે પ્રથમ ભારતીય ડાયનાસોર છે જેનું નામ અને યોગ્ય રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રજાતિ સૌ પ્રથમ 1877 માં નોંધવામાં આવી હતી. તેના નામનો અર્થ 'ટાઈટેનિક ગરોળી' થાય છે. ટાઇટેનોસોર ગ્રહ પર ચાલનારા સૌથી મોટા ડાયનાસોર પૈકીના એક હતા. અંદાજ મુજબ, આ પ્રજાતિ લગભગ 70 મિલિયન વર્ષો પહેલા ક્રેટેસિયસ સમયગાળા દરમિયાન ધરતી પર ફરતી હતી. આ વર્ષની શરૂઆતમાં ટાઇટેનિક ગરોળીના 250 થી વધુ ઇંડા મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી મળી આવ્યા છે.

ભારતીય યુનિવર્સિટી દ્વારા સંશોધન કરાયું

તે ઉપરાંત જાન્યુઆરીમાં પીઅર-સમીક્ષા કરાયેલ સાયન્ટિફિક જર્નલ PLOS Oneમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં દિલ્હી યુનિવર્સિટી અને ભોપાલમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) ના સંશોધકોની ટીમ દ્વારા વિગતવાર સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેઓએ 256 અશ્મિભૂત ટાઇટેનોસોર ઇંડા ધરાવતી 92 માળાઓની જગ્યાઓ શોધી કાઢી.

આ પણ વાંચો: TMC સાંસદે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી

Tags :
dinosaurdinosaureggdinosaurpartsEgg
Next Article