Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અનંત અંબાણીના GRAND MARRIAGE છોડી VIRAT KOHLI એ LONDON માં કિર્તનમાં લીધો ભાગ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નનો કાર્યક્રમ મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયો હતો. જ્યાં ભારતની સાથે સાથે વિદેશમાંથી પણ vvip મહેમાનો આવ્યા હતા. પરંતુ આ બધા ચહેરા વચ્ચે ભારતનો એક સુપરસ્ટાર ગાયબ જોવા મળ્યો હતો. જી હા વિરાટ...
અનંત અંબાણીના grand marriage છોડી virat kohli એ london માં કિર્તનમાં લીધો ભાગ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નનો કાર્યક્રમ મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયો હતો. જ્યાં ભારતની સાથે સાથે વિદેશમાંથી પણ vvip મહેમાનો આવ્યા હતા. પરંતુ આ બધા ચહેરા વચ્ચે ભારતનો એક સુપરસ્ટાર ગાયબ જોવા મળ્યો હતો. જી હા વિરાટ કોહલી અનંત અંબાણીના લગ્નના કોઈ પણ કાર્યક્રમમાં દેખાયા ન હતા. તેમના ઉપરાંત ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, સૂર્યા, ગૌતમ ગંભીરે પણ લગ્નમાં પોતાની હાજરી નોંધાવી હતી. પરંતુ અહી પ્રશ્ન એ છે કે આ ભવ્ય કાર્યક્રમ છોડીને VIRAT KOHLI આખરે કયા ગયા છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા ત્યારથી વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે લંડનમાં હોવાના અહેવાલો હતા. પરંતુ હાલમાં તેમનો લંડનનો જ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

Advertisement

VIRAT KOHLI અને ANUSHKA SHARMA એ કિર્તનમાં લીધો ભાગ

VIRAT KOHLI તેમના પત્ની અનુષ્કા શર્મા સાથે લંડનમાં છે. જ્યાં તેઓએ તાજેતરમાં યુનિયન ચેપલમાં કૃષ્ણ દાસ દ્વારા આયોજિત કિર્તનમાં હાજરી આપી હતી. 'રોક સ્ટાર ઑફ યોગ' તરીકે ઓળખાતા કૃષ્ણ દાસ પરંપરાગત ભારતીય ગીતોને આધુનિક સંગીત સાથે મિશ્રિત કરીને ગાય છે.

Advertisement

કોણ છે કૃષ્ણ દાસ

કૃષ્ણ દાસ જેફરી કાગેલના નામથી પ્રખ્યાત છે અને તેમણે 1960માં તેમની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી હતી. જ્યારે તે ભારત આવ્યો ત્યારે તે નીમ કરોલી બાબાનો શિષ્ય બન્યો, જેમના અનુષ્કા અને વિરાટ કોહલી બંને ભક્ત છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્માએ કીર્તનની તસવીરો શેર કરી હતી. જેમાં આપણને કૃષ્ણદાસ જોવા મળી રહ્યા છે.

Advertisement

શું LONDON માં હમેશા માટે શિફ્ટ થશે વિરાટ?

VIRAT KOHLI અને અનુષ્કા શર્મા અંબાણીના લગ્નમાં હાજરી ન આપીને લંડનમાં રજાઓ માણી રહ્યા છે. અહેવાલ તો એવા પણ સામે આવી રહ્યા છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દેશ છોડીને કાયમ માટે લંડન શિફ્ટ થઈ શકે છે. આવી અટકળો એટલા માટે લગાવવામાં આવી રહી છે કારણ કે તે ઘણીવાર લંડનમાં ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળે છે. તે જ સમયે, બંનેએ ઘણી વખત એવો સંકેત પણ આપ્યો છે કે તેઓ લંડનમાં સામાન્ય જીવન જીવે છે અને કોઈ તેમની સાથે સેલિબ્રિટીની જેમ વર્તે છે, તેથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ લંડન શિફ્ટ થવા માંગે છે. પરંતુ આ બાબતની હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ વિરાટ કોહલી કે અનુષ્કા શર્મા દ્વારા કરવામાં આવી નથી.

આ પણ વાંચો : RADHIKA – ANANT WEDDING : રાધિકાના વિદાયમાં સસરા મુકેશ અંબાણી થયા ભાવુક, વિડીયો થયો વાયરલ

Tags :
Advertisement

.