ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

RAID 2 TRAILER: રેડ 2નું દમદાર ટ્રેલર રિલીઝ, અજય દેવગણના ચક્રવ્યૂહમાં ફસાયો રિતેશ દેશમુખ, જુઓ VIDEO

'RAID 2નું દમદાર ટ્રેલર રિલીઝ અજય દેવગનનું પાત્ર અમર પટનાયક રિતેશ દેશમુખ વિલન પાત્રમાં જોવા મળશે RAID 2 TRAILER: અજય દેવગનની (AJAY DEVGN)મોસ્ટ અવેટેડ ફિલ્મ 'RAID 2' 1 મેના રોજ રિલીઝ થશે. જ્યારથી રેડ 2ની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં...
05:30 PM Apr 08, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
ajay devgn

RAID 2 TRAILER: અજય દેવગનની (AJAY DEVGN)મોસ્ટ અવેટેડ ફિલ્મ 'RAID 2' 1 મેના રોજ રિલીઝ થશે. જ્યારથી રેડ 2ની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં ઉત્સાહનો માહોલ હતો. જ્યારે 'રેડ 2'નું ટીઝર રીલીઝ થયું ત્યારથી ફેન્સ તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા ત્યારે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. કારણ કે નિર્માતાઓએ તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે. અજય દેવગન પોતાના પાત્ર અમર પટનાયક તરીકે પરત ફરી રહ્યા છે. પરંતુ આ વખતે તેમનો મુકાબલો સૌરભ શુક્લા નહીં પણ રિતેશ દેશમુખ (RITEISH DESHMUKH)સામે થશે.

કેવું છે 'રેડ 2'નું ટ્રેલર?

રેઇડ 2 એ 2018 માં રિલીઝ થયેલી રેઇડની સિક્વલ છે. જેમાં વાર્તા આગળ વધશે. પહેલા ભાગમાં અજયે IRS અધિકારી અમય પટનાયકની ભૂમિકા ભજવી હતી જે એક ભ્રષ્ટ રાજકારણીના ઘરે દરોડો પાડે છે અને સફળ થાય છે.પહેલી રેડમાં અજય દેવગણની સામે સૌરભ શુક્લા હતા. આ વખતે તેની સામે રિતેશ દેશમુખ છે જે એક શક્તિશાળી રાજકારણી દાદા ભાઈની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં રિતેશ અને સૌરભ શુક્લાના પાત્ર વચ્ચે સંબંધ બતાવ્યો છે. રિતેશ સૌરભને 'તાઉજી' કહીને બોલાવે છે. આ સિક્વલમાં અજય તેની ટીમ સાથે રિતેશ દેશમુખના ઘરે દરોડા પાડતા અને ખજાનો શોધતા નજર આવશે. હવે આ રેડ કેટલી સફળ જશે એ તો આવનારો સમય જ બતાવશે.

આ પણ  વાંચો -HBD Allu Arjun: પુષ્પરાજે પરિવાર સાથે ઉજવ્યો જન્મદિવસ, સૌથી મોટી ફિલ્મની કરાઈ જાહેરાત

અજયે ભૂલ પકડી લીધી

સૌરભ શુક્લા આગળ કહે છે, "મને હજુ પણ યાદ છે. મારી પાછળ તે રિહર્સલ ચાલી રહ્યું હતું. અજય સર ઉભા થયા અને કહ્યું ના ના... તમે ખોટું કરી રહ્યા છો... તમે બિલકુલ ખોટું કરી રહ્યા છો. તે તેમની પાસે ગયો. જે રીતે તેઓ તે કરી રહ્યા હતા, તેઓ તે ખૂબ જ સ્ટાઇલિશ રીતે કરી રહ્યા હતા... અજય સર કહેતા હતા કે આ એક માણસ છે જે આવકવેરામાં કામ કરે છે, તે સિંઘમ નથી. તેથી તે આ રીતે ગોળીબાર નહીં કરે."સૌરભ શુક્લાએ કહ્યું કે આ ડિટેલિંગ છે. તે કેવી રીતે કરવું. જ્યારે તમારે જીવન કરતાં પણ મોટું કંઈક કરવાનું હોય, ત્યારે તમે તેમાં ઘણું બધું કરી શકો છો. તમે ગોળીબાર કરતા પહેલા બંદૂકને ફેરવી પણ શકો છો. પણ એક આવકવેરા અધિકારી જેણે ક્યારેય બંદૂક ઉપાડી નથી (તે આવું ન કરી શકે). તો આ જ આ વ્યક્તિની મહાનતા છે અને તે શું કરે છે તે ખૂબ સારી રીતે સમજે છે.

Tags :
Raid 2 Trailer LaunchSaurabh Shukla newsSaurabh Shukla on ajay devgnSaurabh Shukla on raid