Pahalgam Terror Attack : લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ FIR દાખલ થઈ, જાણો શું છે સમગ્ર મામલો ?
- "ગુજરાત મેં કાબા......." ફેમ લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ FIR
- લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કવિ અભય સિંહે કરી છે ફરિયાદ
- FIR બાદ નેહા સિંહની તીખી પ્રતિક્રિયા સામે આવી છે
Pahalgam Terror Attack : "ગુજરાત મેં કાબા......." ફેમ લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ (Neha Singh Rathore) વિરુદ્ધ FIR દાખલ થઈ છે. આ FIR લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશન (Hazratganj Police Station) માં દાખલ થઈ છે. જેમાં રાજદ્રોહ સહિત અનેક કલમો અંતર્ગત આરોપો ઘડવામાં આવ્યા છે. Neha Singh Rathore નો એક વીડિયો પાકિસ્તાનના ટ્વીટર પર શેર કરવામાં આવતા સમગ્ર બખેડો ઊભો થયો છે. પાકિસ્તાનમાં નેહા સિંહનો આ વીડિયો વાયરલ થયો છે.
કોણે કરી FIR અને કેમ કરી ?
લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ લખનૌના Hazratganj Police Station માં રાજદ્રોહ સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ FIR કવિ અભય પ્રતાપ સિંહ (Abhay Pratap Singh) ની ફરિયાદ આધારે કરાઈ છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, પહેલગામ આતંકવાદી હુમલાને પગલે સોશિયલ મીડિયા પર ચોક્કસ ધાર્મિક સમુદાયને નિશાન બનાવતી તેમની ભડકાઉ પોસ્ટ્સ દેશની એકતાને નુકસાન પહોંચાડી શકે છે. ફરિયાદમાં રાઠોડ પર ધર્મ અને જાતિના આધારે સમુદાયો વચ્ચે મતભેદો પેદા કરવાનો અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે, નેહા સિંહે રાઠોડે Pahalgam Terror Attack પર રાષ્ટ્ર વિરોધી નિવેદનો આપ્યા હતા. જેનાથી શાંતિ અને જાહેર વ્યવસ્થાનો ભંગ થવાની શક્યતા ઊભી થઈ હતી. ગાયિકાના નિવેદનો પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જ્યાં મીડિયા દ્વારા ભારત વિરોધી પ્રચાર માટે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
શું કહે છે લખનઉ પોલીસ ?
Hazratganj Police અનુસાર લોક ગાયિકા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS) ના અનેક આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સાંપ્રદાયિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવા અને ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવાનો સમાવેશ થાય છે. ઉપરાંત, તેમની સામે માહિતી ટેકનોલોજી (IT) કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. BNS સ્પષ્ટપણે રાજદ્રોહનો ઉલ્લેખ કરતું નથી, કારણ કે તેનો ઉલ્લેખ વસાહતી યુગના ભારતીય દંડ સંહિતાની કલમ 124A માં કરવામાં આવ્યો હતો, પરંતુ નવા ફોજદારી સંહિતાની કલમ 152 દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાના સમાન આરોપો સાથે સંબંધિત છે.
पहलगाम हमले के जवाब में अब तक सरकार ने क्या किया है? मेरे ऊपर FIR ?
अरे दम है तो जाइये…आतंकवादियों के सिर लेकर आइये!
सरकार मेरे ऊपर FIR करवाकर असली मुद्दों से ध्यान भटकाना चाहती है…क्या ये बात समझना इतना मुश्किल है? pic.twitter.com/mOuKPzYYoF
— Neha Singh Rathore (@nehafolksinger) April 28, 2025
Neha Singh Rathore ની પ્રતિક્રિયા
લખનઉના Hazratganj Police Station માં FIR નોંધાયા બાદ નેહા સિંહ રાઠોડની પ્રતિક્રિયા સામે આવી છે. નેહા સિંહે કહ્યું છે કે, મારા વિરુદ્ધ FIR દાખલ કરીને શું થશે ? વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની આ કોશિશ છે. સરકારે પોતાની નિષ્ફળતાઓ માટે મને દોષ આપવાની કોઈ જરૂર નથી. Neha Singh Rathore ની આ પ્રતિક્રિયા અને સરકાર વિરુદ્ધ કરેલા નિવેદનો અત્યારે વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Film-Ground Zero review: પહેલગામ હુમલા બાદ દેશના સેન્ટીમેન્ટ્સને અનુરૂપ છે આ ફિલ્મ…
(Gujarat First ની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)