Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Govinda-ગોવિંદાના કરિયરને તેની અંધશ્રદ્ધાએ ડુબાડયું

Govinda ની બરબાદીનું કારણ વિષે પહલાજ નિહલાનીએ એક ઇન્ટરવ્યૂમાં આપ્યું કે અંધશ્રધ્ધાએ આ સુપરસ્ટારને ડુબાડયોં. તેને અંધશ્રદ્ધાળુ કહ્યો પહલાજ નિહલાનીએ કહ્યું કે : "ગોવિંદાનો અંધવિશ્વાસ તેની કરિયર બરબાદ થવાનું કારણ છે. પોતાની અંધશ્રદ્ધાને કારણે તે લોકોને કપડાં બદલવાની સૂચના આપતો...
12:39 PM Jul 19, 2024 IST | Kanu Jani

Govinda ની બરબાદીનું કારણ વિષે પહલાજ નિહલાનીએ એક ઇન્ટરવ્યૂમાં આપ્યું કે અંધશ્રધ્ધાએ આ સુપરસ્ટારને ડુબાડયોં. તેને અંધશ્રદ્ધાળુ કહ્યો પહલાજ નિહલાનીએ કહ્યું કે : "ગોવિંદાનો અંધવિશ્વાસ તેની કરિયર બરબાદ થવાનું કારણ છે. પોતાની અંધશ્રદ્ધાને કારણે તે લોકોને કપડાં બદલવાની સૂચના આપતો હતો"

નિર્માતા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ્ ફ્લ્મિ સર્ટિફ્કિેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગોવિંદાની કારકિર્દીના પતન વિશે વાત કરી હતી.

ગોવિંદાનો અંધવિશ્વાસ

નિર્માતાએ ઇન્ડસ્ટ્રીના નંબર વન હીરો Govinda સાથે 'ઇલઝામ', 'શોલા ઔર શબનમ', 'આંખે' જેવી ઘણી હિટ ફ્લ્મિો બનાવી છે. પહલાજ નિહલાનીએ કહ્યું કે ગોવિંદાનો અંધવિશ્વાસ તેની કરિયર બરબાદ થવાનું કારણ છે. તેણે એમ પણ કહ્યું કે ગોવિંદાને ક્યારેય ડાયરેક્ટર જેમ્સ કેમરૂનની ફ્લ્મિ 'અવતાર' ઓફર કરવામાં આવી નહોતી.

કેવી રીતે ગોવિંદાની કારકિર્દી બરબાદ થઈ ગઈ?

પહલાજ નિહલાનીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કેવી રીતે Govinda ની કારકિર્દી બરબાદ થઈ ગઈ? તેમણે કહ્યું 'ગોવિંદા ધીરે ધીરે અંધશ્રદ્ધાળુ બની ગયો. પોતાની અંધશ્રદ્ધાને કારણે તે લોકોને કપડાં બદલવાની સૂચના આપતો હતો. તેને લાગતું હતું કે સેટ પરનું ઝુમ્મર પડી રહ્યું છે અને તે લોકોને બીજી તરફ્ જવાનું કહેતો હતો. ચોક્કસ દિવસોમાં શૂટિંગ કરવાની ના પાડતો. શૂટિંગ માટે હંમેશા મોડા આવતો. અંતમાં મોડા આવવાની આદત અને અંધશ્રદ્ધા તેને પતન તરફ્ દોરી ગઈ.

“ગોવિંદાએ તેના ઈન્ટરવ્યૂમાં ઘણી વખત દાવો કર્યો છે કે તેને ડિરેક્ટર જેમ્સ કેમરોનની ફ્લ્મિ 'અવતાર' ઓફર કરવામાં આવી નહોતી. પરંતુ તેણે નકારી કાઢી હતી.”

પહલાજ નિહલાનીએ પણ ગોવિંદાના આ જુઠ્ઠાણાનો પર્દાફશ કર્યો છે. તેણે કહ્યું 'મેં Govinda સાથે 'અવતાર' નામની ફ્લ્મિ શરૂ કરી હતી. પરંતુ ફ્લ્મિ પૂરી ન થઈ શકી. ખબર નહીં 'અવતાર' શીર્ષકથી તેના મગજમાં શું આવ્યું કે તેણે દાવો કરવાનું શરૂ કર્યું કે તે હોલીવુડની ફ્લ્મિ 'અવતાર' કરી રહ્યો છે. મગજની ડિસ્ક ફરતી થઈ અને હિન્દીમાંથી અંગ્રેજીમાં ગઈ.

ગોવિંદાની છેલ્લી ફ્લ્મિ 'રંગીલા રાજા'

ગોવિંદાની છેલ્લી ફ્લ્મિ 'રંગીલા રાજા' પહલાજ નિહલાની દ્વારા બનાવવામાં આવી હતી. 2019માં રિલીઝ થયેલી આ ફ્લ્મિ સિકંદર ભારતીએ ડિરેક્ટ કરી હતી. આ ફ્લ્મિ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફ્લ્મિ પછી પહલાજ નિહલાનીએ આજ સુધી કોઈ ફ્લ્મિ કરી નથી અને ગોવિંદાએ પણ કોઈ ફ્લ્મિમાં કામ કર્યું નથી.

આ પણ વાંચો- Malaika Arora-લગ્ને લગ્ને કુંવારી

Next Article