Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dilip Kumar-અભિનયના આખિરી મુગલ દિલીપકુમાર

ગુજરાત માટે દિલીપકુમારનો અનોખો પ્રેમ
dilip kumar અભિનયના આખિરી મુગલ દિલીપકુમાર
Advertisement

Dilip Kumar -બોલીવુડમાં 'Method Acting'ના પ્રણેતા. 

દિલિપકુમારના પેંગડામાં હજી સુધી કોઈ પગ ઘાલી શક્યું નથી. અલબત્ત,સંજીવકુમાર જેવા એકાદ બે અપવાદ ગણી શકાય પણ એમાંના કોઈ દિલીપકુમારની જેમ સ્ટારડમ ભોગવી શક્યા નથી.

Advertisement

દિલિપકુમાર વિશે ખૂબ બધું કહી શકાય એમ છે પણ એટલું તો ખાતરીપૂર્વક કહી શકાય કે દિલીપકુમારે આખા ભારતને બોલતા શીખવ્યું!  એમની વિદાયને સાડાત્રણ વરસ થયા પણ દિલીપ કુમાર હજુ જીવે છે. મુગલ-એ-આઝમના અભિનેતા, યુસુફ ખાન ઉર્ફ દિલીપસાબ હિંદુસ્તાની અભિનય જગતના એક આખિરી મુગલ હતા.

Advertisement

એમની ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓમાં જોતાં લાગે કે સોફિસ્ટિકેટેડ ભણેલ અને ગંભીર કલાકારનો ‘ક્લાસ’ શું ચીજ છે! 

ફિલ્મો સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ માટે આદર 

‘સાહિબા’ રમેશ તલ્વારની પહેલી ફિલ્મ હતી. છેલ્લે દિલીપસાબ સાથે જ ‘દુનિયા’ (૧૯૮૫) કરેલી. ત્યારે દિલીપકુમારે અભિનંદન આપતાં રમેશજીને ફોન પર કહેલું:મહેરબાં હો કે બૂલા લો મૂઝે ચાહો જિસ વક્ત, મૈં ગયા વક્ત નહીં હૂં કિ લૌટ કે આ ભી ના સકું! આ સાંભળીને રમેશ તલ્વારની આંખો ભીની થઇ ગયેલી, કેરિયરમાં બોલીવુડમાં પાપાપગલી કરી રહેલ નિર્દેશકનું શેર લોહી ચઢે એવો આ શેર કહેવાનો ક્લાસ દિલીપકુમારમાં જ હોય.

Dilip Kumar દિલિપકુમારને ગુજરાત અને ગુજરાતીઓ માટે અનોખો પ્રેમ હતો. સેટ પર કે પાર્ટીમાં કે બીજે ક્યાંય કોઈ મળે અને  એમને ખબર પડે કે એ ગુજરાતી છે તો એની સાથે ગુજરાતીમાં  જ વાત કરે  જાણે કોઇ ગુજરાતીનો પ્રોફેસર વાત ના કરતો હોય !

 દિલીપકુમારનું હિંદી-ઉર્દૂ-અંગ્રજી અને ભારતની ભાષાઓ પર અદ્ભૂત પ્રભુત્વ. એ અભિનેતા ગોવિંદાને ‘ગોવિંદ’ કહેતા, જે સાચો સંસ્કૃત ઉચ્ચાર છે. એક ગુજરાતી પુસ્તક ગઝલ-૧૦૧ના વિમોચનમાં એમણે ગુજરાતીમાં વાત શરૂ કરીને હિંદી-ઉર્દૂમાં ગઝલના ઇતિહાસ વિશે ૧ કલાક એવું બોલેલા કે જાણે ગઝલ પર ગુજરાતીમાં પીએચડી. કરી હોય.

હરફન મૌલા-કોઈ પણ વિષયમાં તલસ્પર્શી જ્ઞાન

કલાકાર પરેશ રાવલે, કહેલું કે કોલેજકાળમાં એ જ્યારે સ્ટેજ પર એકટિંગ કરતા ત્યારે એક જ દિવસે બે અલગ અલગ પ્રોગ્રામમાં દિલીપકુમાર(Dilip Kumar) ચીફ ગેસ્ટ હતા. સવારે એક કાર્યક્રમ હતો ડેંટિસ્ટ એસોસિયેશનનો ને સાંજે બીજો પ્રોગ્રામ હતો વકીલો માટેનો. ત્યાં બેઉ સ્થળે દંત- ચિકિત્સા વિશે અને વકીલાત વિશે દિલીપકુમાર ૧ કલાક સુધી ઊંડાણપૂર્વક અંગ્રેજીમાં બોલેલા એવી એમની તૈયારી! એજ રીતે એમ.ડી. કોલેજમાં કબડ્ડીના કાર્યક્રમમાં મહેમાન હતા ત્યારે કબડ્ડીના ઇતિહાસ પર પણ એટલું જ સરસ બોલેલા!

અભિનેતા-નિર્દેશક પ્રવીણ જોષીનાં નાટકો ભાગ્યે જ ચુકતા

ગુજરાતી નાટકોના સ્ટાર અભિનેતા-નિર્દેશક પ્રવીણ જોષીનાં નાટકો જોવા દિલીપકુમાર ઘણીવાર આવતા અને પ્રવીણ જોષીએ દિલીપસાહેબને લઇને એક ફિલ્મ પણ બનાવવાનું પ્લાન કરેલો પણ પછી એ બન્યું નહીં. આપણા ગુજરાતી હરિભાઇ ઉર્ફ સંજીવકુમારને દિલીપકુમારે સામેથી બોલાવીને ‘સંઘર્ષ’ ફિલ્મ અપાવેલી જેમાં બેઉની ટક્કર હતી. કહેવાય છે કે એ ફિલ્મ પછી જ સંજીવકુમારની ગણતરી એ
ગ્રેડના સ્ટારમાં થવા માંડી. વળી સંજીવકુમારે ‘નયા દિન,નઇ રાત’ ફિલ્મમાં એકસાથે - રોલ કરેલા અને એની શરૂઆતમાં આપેલ કોમેંટ્રીમાં દિલીપકુમારે સંજીવકુમારને ‘આજ કે દૌર કે મહાન કલાકાર’ કહીને બિરદાવેલા. જે એમની મહાનતા કહેવાય. પછી છેક ૨૦૦૦માં મુગલે આઝમ જ્યારે કલર ફિલ્મ તરીકે ફરી રીલિઝ થઇ ત્યારે ગુજરાતી ડાયમંડ વેપારી અને નિર્માતા દિનેશ ગાંધીએ બોની કપૂર સાથે એ રજૂ કરેલી. ત્યારે પ્રીમિયર શોમાં, ઇંટરવલમાં દીપ પ્રાગટય કરીને ફિલ્મના પારસી નિર્માતા શાપરુજી પરિવારના ખૂબ વખાણ કરેલાં કે  એ ગુજરાતી નિર્માતા વિના આવી મહાન ફિલ્મ શક્ય ના હોત! એ પ્રીમિયરમાં કુખ્યાત રાજનેતા અમર સિંહ પણ સ્ટેજ પર હતાં.

આવો બુધ્ધિશાળી વ્યક્તિ બોલીવુડમાં એકમેવ

એ વખતે દિલીપકુમારે મોકો જોઇને પછી ભારતના ભવ્ય ઇતિહાસની વાત કરી અને અમર સિંહ તરફ નિર્દેશ કરીને કહ્યું કે આજે જુઓ કેવા નેતાઓ અહીં ઊભા છે! એમની આ માર્મિક ટકોર દર્શકો પામી ગયા ને ઓડિયંસમાં જબરું હાસ્ય ફેલાઈ ગયું ને પછી તો દિલીપકુમારે ૧૦ મિનિટ ભારતની મહાનતાની વાતને અલગ અલગ સ્ટાઇલમાં દોહરાવી ને છેલ્લે દર વખતે અલગ રીતે અમર સિંહ પર ઇશારો કરતા કે- અને આજે જુઓ, કેવા કેલા લોકો રાજકારણમાં છે! છે વટે તો ખાલી અમર સિંહને એવી નજરે જુએ કે લોકો, તાળીને સીટી વગાડે. છેવટે અમર સિંહે સ્ટેજ પરથી ઊતરી જવું પડેલું!

તદ્દન પારદર્શી વ્યક્તિત્વ 

 ૨૦૦૪માં સુભાષા ઘાઇ નિર્મિત ‘ઇકબાલ’ ફિલ્મના પ્રીમયરમાં દિલીપસાબ આવેલા ને પોતે પણ હીરો હતા ત્યારે માથા પર કેવા વાળ સરસ હતા એ દેખાડવા હવામાંથી જાદૂગરની જેમ કાંસકો કાઢીને જાતજાતના કરતબ કરી દેખાડેલા.

એકવાર ૨૦૦૫ની આસપાસ ‘નુક્કડ’ સિરિયલ કે ‘યસ બોસ’, ‘ફિરભી દિલ હૈ હિંદુસ્તાની’ જેવી ફિલ્મોના દિગ્દર્શક અઝીઝ મિર્ઝા એક ટી.વી. સિરિયલ અંગે દિલીપકુમાર પાસે મદદ માગવા અમે ગયા.

અઝીઝ મિર્ઝાને ખાસ પ્રેમ કરતા. એનાં બે કારણો. એક તો મૂળે અઝીઝ ગુજરાતી અને બીજું એમના પિતા સ્વ. અખ્તર મિર્ઝાએ દિલીપકુમારની ‘નયા દૌર જેવી અનેક ફિલ્મો લખેલી. એટલે અઝીઝને નાનપણથી ઓળખે. આખી વાત સાંભળ્યા પછી દિલીપકુમારે જાહેરમાં પોતાના પ્રથમ પ્રેમનો કિસ્સો કહેવા માટે ના કહી !

.. પછી બંગલાની બહાર ગાડી સુધી ધ્રૂજતા પગે દિલીપકુમાર(Dilip Kumar) અઝીઝને મૂકવા આવ્યા અને કહ્યું, ‘બેટા,ઐસા મત સમઝના કિ મૈં તુમ્હારી સિરિયલ ટાલ રહા હૂં પર મેરા ઈમાન નહીં માનતા ઉસ ઔરત કે બારે મેં સરેઆમ બાત કરને કે લિયે. મૈં તુમ્હેં ફોન પર ભી મના કર સકતા થા લેકિન, મૈંને તુમ્હેં મેરે ઘર પર બુલાયા, સાથ ખાના ખાયા, મેરી બાત સમઝાઈ ક્યૂંકિ અબ મૈં જબ ઝન્નત મેં તેરે અબ્બા(અખ્તર મિર્ઝા) કો મિલૂંગા તો મૈં કમસેકમ ઈત્મિનાન સે યહ તો કહ તો પાઉંગા કિ મૈંને તેરે બેટે કો સૂના ઔર સમઝાને કી કોશિશ તો કી! વર્ના રિશ્તોં કા મતલબ ક્યા?  દિલીપ કુમાર, જેવો ક્લાસી ને ક્લાસિક એક્ટર કદાચ ફરી કદી યે નહીં થાય!

આ પણ વાંચો- ઈન્દિરા ગાંધી પર આજ સુધી કોઇ ફિલ્મ બનાવી શક્યું નથી, એક જેણે બનાવી હતી તેને પણ... : કંગના રનૌત

Tags :
Advertisement

Trending News

.

×