Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Guru Purnima 2024: પવિત્ર તહેવાર ગુરુ પૂર્ણિમાનું મહત્વ, સદીઓથી ઉજવાઈ રહ્યો છે આ પર્વ

Guru Purnima 2024: ભારતીય શાસ્ત્રોમાં ગુરૂ પૂર્ણિમાનું અનેરૂ મહત્વ રહ્યું છે. ગુરૂ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખુબ જ મહત્વનો તહેવાર છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં ગુરૂનો અર્થ થયા...
guru purnima 2024  પવિત્ર તહેવાર ગુરુ પૂર્ણિમાનું મહત્વ  સદીઓથી ઉજવાઈ રહ્યો છે આ પર્વ

Guru Purnima 2024: ભારતીય શાસ્ત્રોમાં ગુરૂ પૂર્ણિમાનું અનેરૂ મહત્વ રહ્યું છે. ગુરૂ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખુબ જ મહત્વનો તહેવાર છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં ગુરૂનો અર્થ થયા છે, ‘અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં જનાર.’ સામાન્ય રીતે વિશ્વમાં બે પ્રકારના ગુરુ હોય છે. પ્રથમ તો શિક્ષણ આપતા ગુરુ અને બીજું દીક્ષા આપતા ગુરુ. શિક્ષા ગુરુ બાળકને શિક્ષિત કરે છે અને દીક્ષા ગુરુ શિષ્યમાંથી સંચિત અવગુણો દૂર કરે છે અને તેના જીવનને સત્યના માર્ગે લઈ જાય છે.

Advertisement

ભારતીય સંસ્કૃતિમાં મહર્ષિ વેદવ્યાસનું યોગદાન

આ દિવસને વેદવ્યાસ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહર્ષિ વેદવ્યાસનો જન્મ આ દિવસે થયો હતો. તેથી તેને વ્યાસ પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમણે માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને વિશ્વના પ્રથમ ગુરુ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં ગુરુનો મહિમા

ગુરુનો મહિમા અનંત અને અમર્યાદ છે. તેઓ જ્ઞાનના દીવાદાંડી છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે અને તેમના વિના જ્ઞાનની પ્રાપ્તિ અશક્ય માનવામાં આવે છે. વેદોમાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે.

Advertisement

''गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा

गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः''

એટલે કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ ભગવાન શંકર છે. ગુરુ એ પરમ પરમાત્મા છે. આવા ગુરુને હું વંદન કરું છું.

ગુરૂનો મહિમા ગાતા સંત કબીરે પણ ગુરુની ખુબ પ્રશંસા કરી છે, તેમણે કહ્યું છે કે,

Advertisement

"गुरु गोविंद दोऊ खड़े, काके लागूं पाय।

बलिहारी गुरु आपने, गोविंद दियो बताय॥"

અહીં ગુરુને ગોવિંદ કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. દરેક પૂર્ણિમાનું પોતાનું મહત્વ હોય છે પરંતુ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી પૂજા, ઉપવાસ અને દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે, શિષ્યો તેમના ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરે છે અને તેમના દ્વારા આપવામાં આવેલ ઉપદેશોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લે છે. લોકો આ દિવસે તેમના ગુરુઓની મુલાકાત લેવા તેમના આશીર્વાદ મેળવવા અને તેમના ચરણોની પૂજા કરવા અને તેમને વિવિધ ભેટો આપે છે.

આ પણ વાંચો: ગુરુપૂર્ણિમાએ ભાવિક ભક્તોનું ઘોડાપૂર ડાકોરના ઠાકોર ના દર્શને ઉમટ્યું

આ પણ વાંચો: આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ પણ થશે

Tags :
Advertisement

.