Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SHREE YANTRA: કલિયુગમાં કલ્પવૃક્ષ-સાવ સહજ ઉપાસના

શ્રી યંત્રની પૂજા આરાધના-બીજાક્ષરોથી યંત્રનો પ્રાદુર્ભાવ
shree yantra  કલિયુગમાં કલ્પવૃક્ષ સાવ સહજ ઉપાસના
Advertisement

SHREE YANTRA- શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત શ્રીયંત્રની મઘ્યમાં રહેલ બિંદુ શિવ અને શકિત તથા શકિતનાં બે ચરણોનાં રૂપોમાં છે. આવાં જ ચરણોની છાપ સહસ્ત્રદલ કમળની મઘ્યે સહસ્ત્રાર છ ચક્રમાં છે. શુક્ર(વીર્ય) તેમજ શોણિત (રકત)ના વર્ણવાળા બે ચરણો. આધસૃષ્ટિની સિસૃક્ષામાંથી ઉત્પત્તિ સૂચવે છે. ગબ્બરની બરાબર સામે જ શ્રી અંબામાનું મંદિર છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી પરંતુ શ્રીયંત્રની પ્રતિષ્ઠા છે અને તંત્ર-વિધામાં શ્રીયંત્રનું મહાત્મ્ય છે...

સર્વ દાનનું ફળ

ત્રિપુરાતાપિની ઉપનિષદ, ત્રિપુરોપનિષદિ, લલિતા સહસ્ત્રનામ, તંત્ર રાજતંત્ર તથા અન્ય તંત્ર-વિજ્ઞાન ગ્રંથોમાં શ્રીયંત્રનાં દર્શન માત્રથી સર્વ દાનનું ફળ મળે છે તેમ જણાવ્યું છે. આ શ્રીયંત્રનાં દર્શનમાત્રથી અનેકાનેક તીર્થમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે. તેથી જ અંબાજીનાં દર્શનમાત્રથી ફળ શીધ્ર પ્રાપ્ત થાય છે, મહેરછા ફળે છે.

Advertisement

બીજાક્ષરોથી યંત્રનો પ્રાદુર્ભાવ

ઋગ્વેદના શ્રીસુકતમાં પંદર ઋચાઓમાં શ્રીયંત્ર-SHREE YANTRA  નિહિત છે. મહર્ષિ દુર્વાસાએ ‘હ્રીં’, ‘કલીં’ જેવા બીજાક્ષરોથી યંત્રનો પ્રાદુર્ભાવ દર્શાવ્યો છે. શ્રીયંત્ર ‘યંત્રરાજ’ એટલે કે યંત્રોમાં સર્વોપરી કહેવાય છે. તેમ જ તેનાં શ્રદ્ધાપૂર્વક થતાં દર્શનમાત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે. અન્ય સઘળાં યંત્રોમાં શ્રીયંત્રનાં કેટલાંક ચક્રોનો સમાવેશ હોય છે જ. આ શ્રીયંત્રનું તમે ઘ્યાનથી દર્શન કરશો તો તેમાં કુલ નવ ચક્રો અને બહારનો ચોરસ મળી કુલ દસ ચક્રનો સમાવેશ થાય છે.

Advertisement

SHREE YANTRA ની મઘ્યમાં બિંદુ તે સર્વાનંદમય ચક્ર, ત્યારબાદ ત્રિકોણ કે સર્વ સિદ્ધિપ્રદ ચક્ર, ત્યારબાદ આઠ ત્રિકોણોનો અષ્ટાર, તે સર્વ રોગહટ ચક્ર, અંતરદશાર એટલે કે બહારના દસ ત્રિકોણો તે સર્વરક્ષાકર ચક્ર, બહિરદશાર એટલે કે બહારના દસ ત્રિકોણો તે સર્વાર્થ સાધક ચક્ર, ચતુર્દશાર એટલે કે ચૌદ ત્રિકોણો તે સર્વ સૌભાગ્યદાયક ચક્ર, ષોડશદલ કમલ એ સર્વાશા પરિપૂરકચક્ર દર્શાવે છે

શ્રી યંત્રની પૂજા આરાધના

 શ્રીયંત્રને દરરોજ મંદિરમાં અથવા તિજોરીમાં રાખીને તેની પૂજા કરો.આ યંત્રની પૂજા કરવાથી વ્યક્તિ ધન, સમૃદ્ધિ, કીર્તિ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે. વેપારમાં અડચણો સમાપ્ત થાય.

 કુંડળીમાં હાજર વિવિધ કુયોગ શ્રીયંત્રની નિયમિત પૂજાથી દૂર થાય છે. આ ઉપરાંત તેની કૃપાથી માણસને આઠ સિદ્ધિઓ અને નવ ખજાનાની પ્રાપ્તિ થાય છે.

 દરરોજ  શ્રી સૂક્તના 12 શ્લોકનો જાપ કરવાથી લક્ષ્મી પ્રસન્ન રહે છે.

* શ્રી યંત્રની-SHREE YANTRA પૂજા સાથે श्री महालक्ष्म्यै नमः',  'श्री ह्रीं क्लीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः' તથા 'श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। આમાંથી કોઈપણ એક મંત્રનો દરરોજ 1 માળા (108 વાર) જાપ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અપાર ધન અને અદ્ભુત શક્તિઓ આપે છે અને જીવનની સમસ્યાઓ સામે લડવાની ક્ષમતા આપે છે.

આ પણ વાંચો- Hindu Rituals : પૂજા કરતી વખતે માથું કેમ ઢાંકવામાં આવે છે?

Tags :
Advertisement

.

×