Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક, ચમકી જશે કિસ્મત

મહાશિવરાત્રીના દિવસે શુભ યોગો રચાશે મહાશિવરાત્રિ ખૂબ જ વિશેષ મહત્વ રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક Mahashivratri 2025: ભગવાન શિવ અને માતા પાર્વતીના (Maha Shivratri 2025)લગ્ન ફાગણ મહિનાની ચતુર્દશી તિથિએ થયા હતા. આ તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે....
maha shivratri 2025  મહાશિવરાત્રિ પર રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક  ચમકી જશે કિસ્મત
Advertisement
  • મહાશિવરાત્રીના દિવસે શુભ યોગો રચાશે
  • મહાશિવરાત્રિ ખૂબ જ વિશેષ મહત્વ
  • રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક

Mahashivratri 2025: ભગવાન શિવ અને માતા પાર્વતીના (Maha Shivratri 2025)લગ્ન ફાગણ મહિનાની ચતુર્દશી તિથિએ થયા હતા. આ તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ તારીખે મહાશિવરાત્રિનો (Maha Shivratri Celebrations)તહેવાર ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે ઉપવાસની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે, જેથી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકાય. જે આ દિવસે વ્રતની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે તેને ઈચ્છીત વરદાન મળે છે. આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મહાશિવરાત્રિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે

મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો રચાશે આ વખતે જ્યોતિષની દૃષ્ટિએ તમામ મહાશિવરાત્રિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જ્યોતિષના મતે આ વખતે મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. આ શુભ યોગોમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થશે. તેમજ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. એટલું જ નહીં આ દિવસે રાશિ પ્રમાણે શિવલિંગનો અભિષેક કરવાથી ભાગ્ય ચમકશે.

Advertisement

આ પણ  વાંચો -Maha Kumbh 2025: મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ

Advertisement

આવતીકાલે હિંદુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સવારે 11.08 કલાકે શરૂ થશે. આ તિથિ 27 ફેબ્રુઆરીના રોજ સવારે 8:54 કલાકે સમાપ્ત થશે, તેથી આવતીકાલે જ ઉદયા તિથિ મુજબ મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે.

આ પણ  વાંચો -Mahashivratri 2025: કાશીમાં મહાશિવરાત્રી ઉજવવાની પરંપરા શું છે, શરૂઆત કેવી રીતે થઈ?

રાશિ પ્રમાણે ભગવાન શિવને અભિષેક કરો

  • મહાશિવરાત્રીના દિવસે મેષ રાશિના જાતકોએ શુદ્ધ મધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
  • આ દિવસે વૃષભ રાશિના લોકોએ કાચા ગાયના દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
  • આ દિવસે મિથુન રાશિના જાતકોએ શેરડીના રસમાં બીલીપત્ર ભેળવીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
  • આ દિવસે કર્ક રાશિવાળા લોકોએ શુદ્ધ ઘીથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
  • આ દિવસે સિંહ રાશિના જાતકોએ મધ મિશ્રિત ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
  • આ દિવસે કન્યા રાશિના જાતકોએ ભાંગ મિશ્રિત ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
  • આ દિવસે તુલા રાશિના જાતકોએ શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.
  • આ દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
  • આ દિવસે ધનુ રાશિના લોકોએ દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
  • આ દિવસે મકર રાશિના લોકોએ શિવલિંગ પર કાળા તલ મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ.
  • આ દિવસે કુંભ રાશિના લોકોએ ગંગાજળમાં સોપારી મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
  • આ દિવસે મીન રાશિના લોકોએ ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
Tags :
Advertisement

Related News

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

featured-img
રાષ્ટ્રીય

Karnataka માં મુસ્લિમ આરક્ષણ પર રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન, કહ્યું- બદલાવ થઈ રહ્યો છે...

×

Live Tv

Trending News

.

×