Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક, ચમકી જશે કિસ્મત
- મહાશિવરાત્રીના દિવસે શુભ યોગો રચાશે
- મહાશિવરાત્રિ ખૂબ જ વિશેષ મહત્વ
- રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક
Mahashivratri 2025: ભગવાન શિવ અને માતા પાર્વતીના (Maha Shivratri 2025)લગ્ન ફાગણ મહિનાની ચતુર્દશી તિથિએ થયા હતા. આ તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ તારીખે મહાશિવરાત્રિનો (Maha Shivratri Celebrations)તહેવાર ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે ઉપવાસની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે, જેથી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકાય. જે આ દિવસે વ્રતની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે તેને ઈચ્છીત વરદાન મળે છે. આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મહાશિવરાત્રિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે
મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો રચાશે આ વખતે જ્યોતિષની દૃષ્ટિએ તમામ મહાશિવરાત્રિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જ્યોતિષના મતે આ વખતે મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. આ શુભ યોગોમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થશે. તેમજ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. એટલું જ નહીં આ દિવસે રાશિ પ્રમાણે શિવલિંગનો અભિષેક કરવાથી ભાગ્ય ચમકશે.
આ પણ વાંચો -Maha Kumbh 2025: મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
આવતીકાલે હિંદુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સવારે 11.08 કલાકે શરૂ થશે. આ તિથિ 27 ફેબ્રુઆરીના રોજ સવારે 8:54 કલાકે સમાપ્ત થશે, તેથી આવતીકાલે જ ઉદયા તિથિ મુજબ મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે.
આ પણ વાંચો -Mahashivratri 2025: કાશીમાં મહાશિવરાત્રી ઉજવવાની પરંપરા શું છે, શરૂઆત કેવી રીતે થઈ?
રાશિ પ્રમાણે ભગવાન શિવને અભિષેક કરો
- મહાશિવરાત્રીના દિવસે મેષ રાશિના જાતકોએ શુદ્ધ મધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
- આ દિવસે વૃષભ રાશિના લોકોએ કાચા ગાયના દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
- આ દિવસે મિથુન રાશિના જાતકોએ શેરડીના રસમાં બીલીપત્ર ભેળવીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
- આ દિવસે કર્ક રાશિવાળા લોકોએ શુદ્ધ ઘીથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
- આ દિવસે સિંહ રાશિના જાતકોએ મધ મિશ્રિત ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
- આ દિવસે કન્યા રાશિના જાતકોએ ભાંગ મિશ્રિત ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
- આ દિવસે તુલા રાશિના જાતકોએ શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.
- આ દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
- આ દિવસે ધનુ રાશિના લોકોએ દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
- આ દિવસે મકર રાશિના લોકોએ શિવલિંગ પર કાળા તલ મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ.
- આ દિવસે કુંભ રાશિના લોકોએ ગંગાજળમાં સોપારી મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
- આ દિવસે મીન રાશિના લોકોએ ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.