Dhanteras 2024: કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ જ કેમ ઉજવાય છે ધનતેરસ? આ રીતે થઈ હતી શરૂઆત
- દિવાળી પહેલા ઉજવાય છે ધનતેરસનો તહેવાર
- માતા લક્ષ્મી અને ભગવાન ધનવંતરી સાથે જોડાયેલી છે કથા
- ધનવંતરીને શ્રીહરી વિષ્ણુનો અંશ માનવામાં આવે છે
Dhanteras 2024: દિવળીના દિવસો હવે શરૂ થવાના છે. ભારત ભરમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ પાંચ દિવસોના દીપોત્સવની શરૂઆત ધનતેરસ (Dhanteras)થી થતી હોય છે. દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ધનતેરસનો તહેવાર ઉજવાય છે. આ વર્ષની વાત કરવામાં આવે તો, 29 ઓક્ટોબરને મંગળવારે ધનતેરસનો તહેવાર ઉજવાશે. ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગિના સહિત ઝાડું જેવી વસ્તુઓ ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે. ધનતેરસના અવસરે ભગવાન ધન્વંતરી અને યમરાજની પૂજા કરવાની વિધિ છે. તો ચાલો જાણીએ ધનના દિવસ ધનતેરસ વિશે...
ધનતેરસને ધનત્રયોદશી પણ કહેવાય છે, જાણો કેમ?
હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર, કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. ત્યારે ભગવાન ધન્વંતરી અમૃત કલશ લઈને પ્રગટ થયા હતા. આ કારણે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ ધનતેરસ (Dhanteras) અથવા ધનત્રયોદશી (DhanTrayodashi) તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન ધન્વંતરી સિવાય, ધનતેરસના દિવસે માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેર અને મૃત્યુના દેવતા યમરાજની પણ પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચો: Vagh Baras 2024: વાઘ બારસનો ઈતિહાસ અને મહત્વ, હિંદુ ધર્મગ્રંથ 'ભવિષ્ય પુરાણ'માં છે આવો ઉલ્લેખ
શું તમને ધનતેરસની પાછળની કહાણી ખબર છે?
હિંદુ ધર્મ શાસ્ત્રોમાં ધનતેરસને લઈને કથાઓ જોવા મળે છે. જેમાં પ્રચલિત કથા સમુદ્ર મંથનની છે. સમુદ્ર મંત્રણ દરમિયાન ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત કલશ લઈને પ્રગટ થયા હતા. જેમના દિવસે ભગવાન ધન્વંતરી સમુદ્રમાંથી પ્રગટ થયા, તે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી હતી. ભગવાન ધન્વંતરી સમુદ્રમાંથી કલશ લઈને પ્રગટ થયા હતા, તેથી આ અવસરે સોના-ચાંદીના દાગિના ખરીદવાની પરંપરા ચાલી આવી છે. એક વાત જેનાથી અનેક લોકો અજાણ હશે કે, ભગવાન ધન્વંતરીને શ્રીહરી વિષ્ણુ ભગવાનનો અંશ પણ માનવામાં આવે છે. ભગવાન ધન્વંતરીએ જ સમગ્ર દુનિયામાં ચિકિત્સા વિજ્ઞાનનું પ્રચાર-પ્રસાર કર્યું. ભગવાન ધન્વંતરીના પ્રગટ થવાને અનુસંધાનમાં દર વર્ષે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.
ભગવાન ધન્વંતરીને શ્રીહરી વિષ્ણુજીનો અંશ માનવામાં આવે છે
શાસ્ત્રો પ્રમાણે વાત કરવામાં આવે તો, ધનતેરસ બે શબ્દોનો બનેલો છે. જેમાં પહેલો શબ્દ ધન અને શબ્દ બીજો તેરસ, જેનો અર્થ થા છે ‘તેર ગણા પૈસા’. ભારતીય સંસ્કૃતિમાં સ્વાસ્થ્યને સૌથી મોટું ધન માનવામાં આવે છે. આ કહેવત આજે પણ પ્રચલિત છે કે ‘પહેલું સુખ નિરોગી કાયું, બીજું સુખ ઘરમાં માયા’. તેથી દિવાળી પહેલા ધનતેરસને મહત્વ આપવામાં આવે છે. આ દિવસે ઘરમાં જેટલી લક્ષ્મીની પૂજા કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: જાણો, અમાવાસ્યાની મધ્યરાત્રિએ કાલી પૂજાનો શુભ સમય અને મહત્વ
આ દિવસ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે પણ ઉજવાય છે
બીજી મહત્વની વાત એ છે કે, આ દિવસે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભગવાન ધન્વંતરી પછી માતા લક્ષ્મી બે દિવસ પછી સમુદ્રમાંથી પ્રગટ થયા હતાં. તેથી ધનતેરસના 2 દિવસ પછી દીપાવલીનો તહેવાર ઉજવવામાં આવે છે. ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની સાથે આરોગ્ય સુખ પ્રાપ્ત થાય છે. આરોગ્યને સૌથી મોટૂં ધન માનવામાં આવે છે.
ધનતેરસના આ વસ્તુ ખરીદવી ખુબ શુભ મનાય છે
ધનતેરસ (Dhanteras) મૂળ રીતે ધન માટેનો તહેવાર છે. એટલું જ નહીં પરંતુ ધનતેરસની દિવસે પર સોનું, ચાંદી, નવા બાજાં અને આભૂષણો ખરીદવાનું વિશેષ રૂપે શુભ માનવામાં આવ્યું છે. લોકો આ દિવસે નવા બાજાં ખરીદી માતા લક્ષ્મીને અર્પણ કરે છે. લક્ષ્મી માતાની ધનતેરસના દિવસે પૂજા કરવી શાસ્ત્રોમાં ખુબ જ શુભ માનવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઘરમાં લક્ષ્મીનો વાસ એટલે સમૃદ્ધિનો વસવાટ. ધનતેરસના દિવસે ઘરમાં નવી વસ્તુઓ લાવવાથી ધન આવવાની શક્યતા હોય છે.
આ પણ વાંચો: Diwali 2024 : શ્રી રામની સાથે 5 કથાઓ પણ દિવાળી સાથે સંકળાયેલી છે, જાણો સંપૂર્ણ ઈતિહાસ.