Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Astrology: જો કુંડળીમાં ગુરૂ નબળો છે, જાણો ગુરુને મજબૂત કરવાના સરળ ઉપાય...

અહેવાલ_ રવિ પટેલ -અમદાવાદ  ગુરુવાર ગુરુદેવ બૃહસ્પતિને સમર્પિત છે. ગુરુને સૌથી મોટો ગ્રહ અને સુખ-સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં ગુરુ નબળી સ્થિતિમાં છે તો તેને મજબૂત કરવા માટે કેટલાક સરળ ઉપાયો કરવાથી ફાયદો થશે. જો આ ઉપાયો...
astrology  જો કુંડળીમાં ગુરૂ નબળો છે  જાણો ગુરુને મજબૂત કરવાના સરળ ઉપાય
Advertisement

અહેવાલ_ રવિ પટેલ -અમદાવાદ 

Advertisement

ગુરુવાર ગુરુદેવ બૃહસ્પતિને સમર્પિત છે. ગુરુને સૌથી મોટો ગ્રહ અને સુખ-સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં ગુરુ નબળી સ્થિતિમાં છે તો તેને મજબૂત કરવા માટે કેટલાક સરળ ઉપાયો કરવાથી ફાયદો થશે. જો આ ઉપાયો ગુરુવારે કરવામાં આવે તો તમને વધુ લાભ મળશે. ચાલો પહેલા જાણીએ કે જો કુંડળીમાં ગુરુ નબળો હોય તો વ્યક્તિને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Advertisement

Advertisement

  • જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થીને અભ્યાસમાં રસ ન હોય અથવા શિક્ષણના ક્ષેત્રમાં અવરોધોનો સામનો કરવો પડે તો તે કુંડળીમાં અશુભ ગુરુનો સંકેત છે.
  • ગુરૂને પણ ભાગ્ય સાથે જોડાયેલો જોવામાં આવે છે. જો કુંડળીમાં ગુરુ ખરાબ સ્થિતિમાં હોય તો તમને કોઈ પણ કામમાં ભાગ્યનો સાથ નહીં મળે. વ્યક્તિને ધનની હાનિ, મહત્વના કામમાં અડચણો, લગ્નમાં અવરોધ, કામમાં સફળતાનો અભાવ પણ ખરાબ ગુરુનો સંકેત આપે છે.
  • પેટ સંબંધિત શારીરિક સમસ્યાઓ જેમ કે કબજિયાત, ગેસ, અપચો પણ નબળા ગુરુ તરફ નિર્દેશ કરે છે. આ સાથે જ જો ગુરુની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને આંખ, ગળા, કાન, શ્વાસ અને ફેફસા સંબંધિત રોગોનો ભોગ બનવું પડી શકે છે.

ગુરુને મજબૂત કરવાના ઉપાય
જો તમારે કરિયરમાં સફળતા જોઈતી હોય તો ગુરુગ્રહ સાથે સંબંધિત પીળી વસ્તુઓનું ગુરુવારે દાન કરવું જોઈએ. જેમ કે સોનું, હળદર, ચણા, પીળા ફળ વગેરેનું દાન કરવાથી લાભ થશે. આ દિવસે ધાર્મિક અથવા શૈક્ષણિક પુસ્તકોનું દાન કરવું પણ શુભ છે. આવું કરવાથી ગુરુ ભગવાન પ્રસન્ન થાય છે અને બાળકોના ભણતરમાં આવતી અડચણો દૂર થાય છે.

  • ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સમૃદ્ધિના પ્રતિક છે, તેથી ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. બની શકે તો ગુરુવારની વ્રત કથા પણ વાંચો.આમ કરવાથી દામ્પત્ય જીવન સુખી બને છે અને સુખ-સમૃદ્ધિ રહે છે.
  • ગુરૂવારે પાણીમાં હળદર નાખીને સ્નાન કરવાથી ભગવાન બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે.તેની સાથે ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી અને દીવો કરવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.

આ દિવસે પીળા ચંદન અથવા કેસરનું તિલક લગાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પોતાના પર પણ તિલક લગાવો. જો કેસર ન મળે તો હળદરનું તિલક પણ લગાવી શકાય છે. આ ઉપાયને સતત અનુસરવાથી તમારી સંપત્તિમાં સતત વધારો થશે અને તમને ધનની કમી ક્યારેય નહીં થાય.જો પતિ-પત્ની વચ્ચે મતભેદ હોય અને રોજ ઝઘડા થતા હોય તો આ દિવસે પીળા કપડા પર ભગવાન બૃહસ્પતિ અથવા ભગવાન વિષ્ણુનું ચિત્ર લગાવીને પીળા ચંદન અને પીળા ફૂલથી તેની પૂજા કરવી જોઈએ.ગુરુવારે કેળાના ઝાડની પૂજા કર્યા પછી ભગવાન સત્યનારાયણ અથવા ગુરુવારની કથા સાંભળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે આ દિવસે પીળા રંગના કપડા પહેરવાથી સ્વાસ્થ્ય સુધરે છે.

આ  પણ  વાંચો -આ રાશિના જાતકોને આજે શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

પૂજા કરતી વખતે પાણી ભરેલા કળશના મહત્વ વિશે જાણો વિગતવાર

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 26 March 2025 : આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભની શક્યતા છે

featured-img
ધર્મ ભક્તિ

આવતીકાલે 26 માર્ચે સિદ્ધિ યોગમાં ભગવાન Ganeshની કઈ રાશિ પર થશે વિશેષ કૃપા ? જાણો વિગતવાર

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 25 march 2025 : આજે વસુમતી યોગથી આ રાશિઓને મળી રહ્યો છે લાભ

featured-img
ધર્મ ભક્તિ

આવતીકાલે 25 માર્ચે Shivyogનો દુર્લભ સંયોગ, જાણો કઈ 5 રાશિઓ પર થશે શિવજીની કૃપા

featured-img
ધર્મ ભક્તિ

‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ થયું, અમદાવાદમાં યોજાયો વિમોચન સમારોહ

Trending News

.

×