Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, 24 કલાકમાં 10ના મોત

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. વીતેલા 24 કલાકમાં કોરોનાના કારણે 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. 24 કલાકમાં દેશમાં 3482 કેસનો વધારો થયો હતો.જે બતાવે છે કે, કોરોનાવાયરસ એકવાર ફરી આપણા જીવનમાં પાછો આવી રહ્યો છે. ત્યારે હવે આ પરિસ્થિતિને જોતા સાવધાની રાખવી જરૂરી બની ગયું છે.મહત્વનું છે કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં વૃદ્ધિ આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય à
દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો  24 કલાકમાં 10ના મોત
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. વીતેલા 24 કલાકમાં કોરોનાના કારણે 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. 
24 કલાકમાં દેશમાં 3482 કેસનો વધારો થયો હતો.જે બતાવે છે કે, કોરોનાવાયરસ એકવાર ફરી આપણા જીવનમાં પાછો આવી રહ્યો છે. ત્યારે હવે આ પરિસ્થિતિને જોતા સાવધાની રાખવી જરૂરી બની ગયું છે.
મહત્વનું છે કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં વૃદ્ધિ આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 10 લોકોના મૃત્યુ સાથે કોરોના વાયરસના 3482 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 4592 ડિસ્ચાર્જ થયા છે, ત્યારબાદ કુલ રિકવરી રેટ લગભગ 98.68 ટકા અને કુલ રિકવરી ડેટા 4,26,57,335 પર પહોંચી ગયો છે.
દેશમાં વીતેલા 24 કલાકમાં કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કોરોનાના કારણે 524771 લોકોના મોત થયા છે. 
Advertisement
Tags :
Advertisement

.