Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તહેવારોની સિઝનમાં આજે ફરી દેશમાં વધ્યા કોરોનાના કેસ, સક્રિય કેસની સંખ્યામાં 531નો ઘટાડો

તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં બજારોમાં જોવા મળી રહ્યા છે. વળી આ તહેવારોની સિઝનમાં કોરોનાને લોકો જાણે ભૂલી જ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જીહા, હવે તમને ઘણા ઓછા લોકોના મોંઢા પર માસ્ક જોવા મળશે. જોકે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આજે સામાન્ય વધારો થયો છે. ધનતેરસ અને દિવાળી પહેલા દેશમાં કોરોનાના નવા કેસોમાં થોડો વધારો થયà«
તહેવારોની સિઝનમાં આજે ફરી દેશમાં વધ્યા કોરોનાના કેસ  સક્રિય કેસની સંખ્યામાં 531નો ઘટાડો
તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં બજારોમાં જોવા મળી રહ્યા છે. વળી આ તહેવારોની સિઝનમાં કોરોનાને લોકો જાણે ભૂલી જ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જીહા, હવે તમને ઘણા ઓછા લોકોના મોંઢા પર માસ્ક જોવા મળશે. જોકે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આજે સામાન્ય વધારો થયો છે. 
ધનતેરસ અને દિવાળી પહેલા દેશમાં કોરોનાના નવા કેસોમાં થોડો વધારો થયો છે. મંગળવારની સરખામણીએ આજે ​​દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો થયો છે. જોકે, આજે દેશમાં કોરોનાના 2,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 1,946 નવા કેસ નોંધાયા છે જ્યારે 10 લોકોના મોત થયા છે. અગાઉ મંગળવારે દેશમાં કોરોના સંક્રમણના 1,542 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 494 નો વધારો નોંધાયો છે. આજે 2,417 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 25,968 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 531નો ઘટાડો નોંધાયો છે.
Advertisement

આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,34,376 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,79,485 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,923 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.76 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.06 ટકાનો સમાવેશ થાય છે. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,19,41,43,525 પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 3,76,787 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
Tags :
Advertisement

.