દેશમાં આજે પણ કોરોનાના કેસ 7 હજારથી વધુ, 24 લોકોના થયા મોત
દેશમાં કોરોનાના કેસનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે પણ ગઇકાલની સરખામણીએ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે પણ કોરોનાના 7 હજારથી પણ વધારે કેસ સામે આવ્યા છે. જે બતાવે છે કે, કોરોનાવાયરસ એકવાર ફરી આપણા જીવનમાં પાછો આવી રહ્યો છે. ત્યારે હવે આ પરિસ્થિતિને જોતા સાવધાની રાખવી જરૂરી બની ગયું છે.મહત્વનું છે કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં વૃદ્ધિ આવી રહી છે. કેન્દ્રીય આà
દેશમાં કોરોનાના કેસનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે પણ ગઇકાલની સરખામણીએ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે પણ કોરોનાના 7 હજારથી પણ વધારે કેસ સામે આવ્યા છે. જે બતાવે છે કે, કોરોનાવાયરસ એકવાર ફરી આપણા જીવનમાં પાછો આવી રહ્યો છે. ત્યારે હવે આ પરિસ્થિતિને જોતા સાવધાની રાખવી જરૂરી બની ગયું છે.
મહત્વનું છે કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં વૃદ્ધિ આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 24 લોકોના મૃત્યુ સાથે કોરોના વાયરસના 7,584 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 3,791 ડિસ્ચાર્જ થયા છે, ત્યારબાદ કુલ રિકવરી રેટ લગભગ 98.70 ટકા અને કુલ રિકવરી ડેટા 4,26,44,092 પર પહોંચી ગયો છે.
Advertisement
#COVID19 | India reports 7,584 fresh cases, 3,791 recoveries, and 24 deaths in the last 24 hours.
Total active cases are 36,267 pic.twitter.com/kwQIIy8K3s
— ANI (@ANI) June 10, 2022
આરોગ્ય મંત્રાલયના ડેટાએ આજે દર્શાવ્યું છે કે, ભારતમાં COVID-19 ના કુલ સક્રિય કેસ વધીને 36,267 થઈ ગયા છે. ગઈકાલે નોંધાયેલા સક્રિય કેસોની સંખ્યા 32,498 હતી. 24 કલાકના સમયગાળામાં સક્રિય COVID-19 કેસ લોડમાં 3,769 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.08 ટકાનો સમાવેશ થાય છે. દેશમાં કુલ મૃત્યુઆંક હવે 5,24,747 છે. ભારતમાં, કોવિડ રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું.