GST પર મોટી રાહત મળશે! નાણામંત્રી સીતારમણે આપ્યા સંકેતો, જાણો શું છે સરકારની યોજના
- GSTના મોરચે મોટી રાહત મળી શકે છે.
- નાણામંત્રીએ આપ્યા સંકેત
- GST દરોમાં વધુ ઘટાડો થશે
GST rate: GSTના મોરચે મોટી રાહત મળી શકે છે. આ વાતનો સંકેત નાણામંત્રી નિર્મલા સીતારમણે(Nirmala Sitharaman) પોતે આપ્યો છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી GST દરોમાં વધુ ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે GST પર 2021 માં રચાયેલા મંત્રીઓના જૂથ (GoM) નિર્ણય લેવાની ખૂબ નજીક હોવાનું કહેવાઈ રહ્યું છે. દરમિયાન, નાણામંત્રી દ્વારા આપવામાં આવેલા આ સંકેતો પણ GST ઘટાડાની આશાઓને વધારે છે.
આને વધુ ઘટાડવામાં આવશે...'
એક અખબારમાં પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે એક એવોર્ડ સમારોહમાં જણાવ્યું કે રેવન્યુ ન્યુટ્રલ રેટ (RNR) 2017 માં 15.8% થી ઘટાડીને 2023 માં 11.4% થઈ ગયો છે. તેમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. આ દરમિયાન, નિર્મલા સીતારમણે ભવિષ્યમાં મોટી કર રાહતનો સંકેત પણ આપ્યો અને કહ્યું કે GST લાગુ થયા પછી દરોમાં મોટો ફેરફાર થયો છે અને ભવિષ્યમાં તેમાં વધુ ઘટાડો કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જીએસટીને તર્કસંગત બનાવવા માટે મંત્રીઓના જૂથે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને જીએસટી કાઉન્સિલ મુખ્ય ફેરફારો અંગે અંતિમ નિર્ણય લેવાની નજીક છે.
નાણામંત્રીએ કહ્યું- મેં આ કામ મારા પર લીધું
નિર્મલા સીતારમણે કહ્યું કે મંત્રીઓના જૂથે ઉત્તમ કાર્ય કર્યું છે, પરંતુ તેમ છતાં મેં તેમના તારણોને GST કાઉન્સિલ સમક્ષ રજૂ કરતા પહેલા સંપૂર્ણ સમીક્ષા કરવાનું કાર્ય મારા પર લઈ લીધું છે. ટેક્સ સ્લેબના તર્કસંગત બનાવવાની પ્રક્રિયામાં દરોને સુવ્યવસ્થિત કરવા અને ઉદ્યોગની મુખ્ય ચિંતાઓનું સમાધાન કરવું સામેલ છે.
આ પણ વાંચો -Gold Rate: અઠવાડિયામાં 1090 રૂપિયા સોનું મોઘું, શું હજી વધશે ભાવ?
બેંકોમાં પોતાનો હિસ્સો ઘટાડી રહી છે સરકાર
નાણામંત્રીએ જાહેર ક્ષેત્રની બેંકોમાં સરકારી હિસ્સો ઘટાડવા અને છૂટક રોકાણકારોની વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) અને માઇક્રો-ક્રેડિટના મુદ્દા પર બોલતા, નિર્મલા સીતારમણે કહ્યું કે કેટલીક કંપનીઓ ખૂબ જ આક્રમક રીતે લોન આપી રહી હતી, પરંતુ RBIના હસ્તક્ષેપથી, આને નિયંત્રિત કરવામાં આવી છે અને પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો -Business : ભારતીય નાગરિકોનું વિદેશી પ્રોપર્ટીમાં રોકાણ IT ની રડારમાં
નાણામંત્રીએ આ મુદ્દાઓ પર પણ કરી વાત
આ કાર્યક્રમમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ખુલીને વાત કરી. તેમણે ભારતના મજબૂત આર્થિક વિકાસમાં વિશ્વાસ વ્યક્ત કરતાં નાણાકીય વર્ષ 2021 પછીથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકેની તેની સ્થિતિ પર ભાર મૂક્યો. ટેરિફ વૉર વચ્ચે, તેમણે ભારત-અમેરિકા વેપાર સોદા પર કહ્યું કે બંને પક્ષો પરસ્પર ફાયદાકારક કરારનું લક્ષ્ય રાખે છે.