Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વભરમાં મંદીનું જોખમ વધ્યું! IT સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓમાં જોવા મળ્યો ડરનો માહોલ

કોવિડ-19ની અસર આજે પણ ઘણા દેશોમાં જોવા મળી રહી છે. આ મહામારીના કારણે ઘણા દેશોમાં મંદીનો માહોલ છે. પરંતું હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે જાણી તમારા રુંવાટા ઉભા થઇ જશે. મહત્વનું છે કે, આ સમયે સમગ્ર વિશ્વ મંદીના ભયમાં છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ પણ ચેતવણી આપી છે કે, 'જો સરકારો મોઘવારીને કાબૂમાં રાખવામાં નિષ્ફળ જશે તો વિશ્વભરમાં મંદીનું જોખમ છે.' આ સિવાય IMFના વડાએ કહ્યું છે કે, વર્ષ 2026 à
વિશ્વભરમાં મંદીનું જોખમ વધ્યું  it સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓમાં જોવા મળ્યો ડરનો માહોલ
કોવિડ-19ની અસર આજે પણ ઘણા દેશોમાં જોવા મળી રહી છે. આ મહામારીના કારણે ઘણા દેશોમાં મંદીનો માહોલ છે. પરંતું હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે જાણી તમારા રુંવાટા ઉભા થઇ જશે. મહત્વનું છે કે, આ સમયે સમગ્ર વિશ્વ મંદીના ભયમાં છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ પણ ચેતવણી આપી છે કે, "જો સરકારો મોઘવારીને કાબૂમાં રાખવામાં નિષ્ફળ જશે તો વિશ્વભરમાં મંદીનું જોખમ છે." આ સિવાય IMFના વડાએ કહ્યું છે કે, વર્ષ 2026 સુધીમાં મોંઘવારી વધશે. નિષ્ણાતોના મતે આવનારા સમયમાં IT સેક્ટરમાં મોટા પ્રમાણમાં છટણી થવાની છે.
ટ્વિટર સહિત અમેરિકાની સૌથી મોટી ટેક કંપનીઓએ સૌથી વધુ છટણી કરી
સમગ્ર વિશ્વમાં આજે મંદીનો માહોલ જોવા મળી શકે છે. બીજી તરફ વિશ્વની મોટાભાગની IT કંપનીમાં હાલમાં છટણીનો દૌર શરૂ થઇ ગયો છે. આ સમયે દુનિયાભરમાં નોકરીઓનું સંકટ વધી રહ્યું છે. ટ્વિટર સહિત અમેરિકાની સૌથી મોટી ટેક કંપનીઓએ સૌથી વધુ છટણી કરી છે. માઈક્રોસોફ્ટ, ગૂગલ, ઈન્ટેલ જેવી મોટી કંપનીઓએ પણ કમાણીના અભાવે હજારો લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. રુશિયા-યુક્રેન યુદ્ધ અને સપ્લાય ચેઈન સમસ્યાઓના કારણે વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતાના કારણે આ સંકટ વધ્યું છે. દરમિયાન, ભારતીય IT કંપનીઓએ પણ તેમની ભરતી પર બ્રેક લગાવી દીધી છે.
ભારત અન્ય દેશોની સરખામણીમાં સારી સ્થિતિમાં
આજે વિશ્વભરના આર્થિક નિષ્ણાતોના મતે આ આર્થિક મંદીની સૌથી વધુ અસર અમેરિકા જેવા વિકસિત દેશો પર જોવા મળશે. તે પછી બ્રિટન અને યુરોપને મંદીથી ભારે નુકસાન થઈ શકે છે. ચીન પણ લપેટમાં આવશે. જોકે ભારતે વધારે ગભરાવાની જરૂર નથી. અહીં અસર ઓછી થશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત અન્ય દેશોની સરખામણીમાં સારી સ્થિતિમાં છે અને આવનારા સમયમાં જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડો થશે અને વિશ્વના મોટા દેશો મંદીનો શિકાર બનશે. તે સમયે પણ ભારત મજબૂત સ્થિતિમાં જોવા મળશે.
આ બે કંપનીઓમાં થઇ બમ્પર છટણી
કોમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવની સૌથી મોટી નિર્માતા સીગેટ ટેકનોલોજી હોલ્ડિંગ્સ પીએલસીએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે તે લગભગ 3,000 નોકરીઓની છટણી કરી રહી છે. સીગેટ અને ઇન્ટેલ સહિત ઘણી કોમ્પ્યુટર હાર્ડવેર કંપનીઓ વેચાણ ઘટવાથી પરેશાન છે. વળી, પેમેન્ટ કંપની સ્ટ્રાઇપ ઇન્ક.એ 1000 થી વધુ નોકરીઓમાં કાપની જાહેરાત કરી છે. લગભગ 14 ટકા કર્મચારીઓની છટણી પછી, ત્યાં કર્મચારીઓની કુલ સંખ્યા 7000 થશે.
ટેક સેક્ટરમાં છટણી
વૈશ્વિક સ્તરે એમેઝોન, ગૂગલ, ફેસબુક, ટ્વિટર, એપલ જેવી કંપનીઓએ કાં તો છટણીની જાહેરાત કરી છે અથવા નવી ભરતી પર પ્રતિબંધ મૂક્યો છે. વળી, ભારતમાં પણ, IT કંપનીઓ માત્ર છટણી પર જ ભાર નથી આપી રહી પરંતુ નવી ભરતી પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય Unacademy, Byju's જેવા સ્ટાર્ટઅપ પણ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટેક કંપનીઓમાં જ કેમ છટણી
મંદીના વાતાવરણમાં, મોટાભાગના IT સેક્ટરમાં છટણી અથવા નવી ભરતી પર પ્રતિબંધ જોવા મળી રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ ટેક કંપનીઓના નિરાશાજનક પરિણામો છે. આ સિવાય ટેક કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો અને જાહેરાતની આવકે સંકટમાં વધારો કર્યો છે. વળી, ઘટતા IT બજેટને કારણે કંપનીઓ યુએસ અને યુરોપમાં કર્મચારીઓના બોનસને ફ્રીઝ કરી રહી છે અથવા તેમાં કાપ મૂકે છે તેવા અહેવાલો પણ સામે આવ્યા છે. 
મંદી શું છે?
જ્યારે કોઈ દેશની અર્થવ્યવસ્થા લાંબા સમય સુધી ધીમી અને સુસ્ત રહે છે, ત્યારે તે પરિસ્થિતિને મંદી અથવા આર્થિક મંદી કહેવામાં આવે છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, જ્યારે કોઈ દેશની અર્થવ્યવસ્થા સતત 6 મહિના સુધી ઘટતી જોવા મળે છે, તો તેને મંદી કહેવામાં આવે છે. બીજી તરફ, જો આ સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં 10 ટકાથી વધુનો ઘટાડો થાય છે, તો તેને ડિપ્રેશન કહેવામાં આવે છે.
મંદીના પરિણામો:
જ્યારે પણ કોઈ પણ દેશમાં મંદી આવે છે, ત્યારે ત્યાંના સામાન્ય માણસના જીવન પર તેની ખરાબ અસર પડે છે. તેનાથી તે દેશની અર્થવ્યવસ્થા ઘટી જાય છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી જાય છે. લોકોનો ખર્ચ વધે છે, પણ આવક ઘટે છે. લોકોની ખરીદશક્તિ ઘટતી જાય છે. કંપનીઓ પૈસા બચાવવા માટે કર્મચારીઓની છટણી કરે છે. કંપનીઓમાં નવી ભરતી અટકે છે. ઘણી નાની કંપનીઓ મંદીના કારણે બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં દેશમાં બેરોજગારીના દરમાં જબરદસ્ત વધારો જોવા મળે છે. ઔદ્યોગિક ઉત્પાદન ઘટે છે અને ધિરાણની માંગ ઘટે છે. આ સિવાય મંદીના ડરને કારણે રોકાણકારો શેરબજારમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરે છે. એટલે કે મંદીના કારણે કોઈપણ દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડે છે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.