Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CBI એક્શનમાં, વિજય માલ્યા સામે જારી કર્યું Non-Bailable Warrant

Vijay Mallya: મુંબઈની એક વિશેષ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા (Vijay Mallya)વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ બિનજામીનપાત્ર વોરંટ વિજય માલ્યા સામે ઈન્ડિયન ઓવરસીઝ બેંક સંબંધિત 180 કરોડ રૂપિયાની લોનની ચૂકવણી ન કરવાના કેસ સાથે સંબંધિત છે. કોર્ટે 29...
cbi એક્શનમાં  વિજય માલ્યા સામે જારી કર્યું non bailable warrant

Vijay Mallya: મુંબઈની એક વિશેષ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા (Vijay Mallya)વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ બિનજામીનપાત્ર વોરંટ વિજય માલ્યા સામે ઈન્ડિયન ઓવરસીઝ બેંક સંબંધિત 180 કરોડ રૂપિયાની લોનની ચૂકવણી ન કરવાના કેસ સાથે સંબંધિત છે. કોર્ટે 29 જૂને માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, પરંતુ તેનો આદેશ સોમવારે ઉપલબ્ધ થયો હતો.

Advertisement

જાણી જોઈને સરકારી બેંકની લોન ચૂકવી નથી :CBI

કોર્ટે સીબીઆઈની દલીલો સાંભળ્યા બાદ અને વિજય માલ્યાના ભાગેડુ સ્ટેટસના આધારે કહ્યું કે ‘આ કેસ માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા માટે એકદમ યોગ્ય છે, જેથી કોર્ટમાં તેની હાજરી સુનિશ્ચિત કરી શકાય.સીબીઆઈએ કોર્ટની સુનાવણી દરમિયાન કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે નાદાર એરલાઈન્સ કિંગફિશરના પ્રમોટર વિજય માલ્યાએ જાણી જોઈને સરકારી બેંકમાંથી લીધેલી 180 કરોડ રૂપિયાની લોન ચૂકવી નથી. ED દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મની લોન્ડરિંગ કેસમાં વિજય માલ્યાને પહેલા જ ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં તે લંડનમાં છે અને ભારત સરકાર તેને બ્રિટિશ સરકાર પાસેથી પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

Advertisement

ચાર્જશીટમાં માલ્યા સામેના આ આરોપો

ચાર્જશીટ મુજબ, વિજય માલ્યાએ 2007 થી 2012 વચ્ચે તત્કાલિન ઓપરેટીંગ કિંગફિશર એરલાઈન્સ માટે ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તપાસ એજન્સીનું કહેવું છે કે 2010માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ SBI બેંકને નિર્દેશ આપ્યો હતો કે તે ઉડ્ડયન ક્ષેત્ર માટે એકસામટી રકમ માટે કિંગફિશર એરલાઈન્સના પ્રસ્તાવ પર વિચાર કરે. આ પછી, ઇન્ડિયન ઓવરસીઝ બેંક સહિત 18 બેંકોના કન્સોર્ટિયમે કિંગફિશર એરલાઇન્સ સાથે MDRA કરાર કર્યો. આરોપ છે કે કિંગફિશરના પ્રમોટર વિજય માલ્યાએ છેતરપિંડી કરવાના ઈરાદા સાથે જાણીજોઈને પુન:ચુકવણીની જવાબદારીઓ પૂરી કરી નથી. આના કારણે બેંકને રૂ. 141.91 કરોડનું નુકસાન થયું હતું અને લોનને શેરમાં રૂપાંતરિત થવાથી રૂ. 38.30 કરોડનું વધારાનું નુકસાન થયું હતું. રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ વિજય માલ્યાએ માર્ચ 2016માં ભારત છોડી દીધું હતું. જાન્યુઆરી 2019 માં, માલ્યાને ઘણા લોન ડિફોલ્ટ અને મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા.

આ પણ  વાંચો  - Stock Market : શેરબજારમાં ખૂલતાની સાથે તેજી, Sensex 80,000 ને પાર

Advertisement

આ પણ  વાંચો  - Rule Change : દેશમાં આજથી આ 5 મોટા ફેરફારો લાગુ, દરેકના ખિસ્સાને થશે અસર!

આ પણ  વાંચો  - LPG cylinder price: મોદી સરકારની ગૃહિણીઓ માટે મોટી ભેટ

Tags :
Advertisement

.