GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
- GST કલેક્શનના આંકડો જાહેર કર્યો
- GST કલેક્શનમાં 9.9 ટકાનો વધારો
- GSTમાંથી સારી એવી કમાણી થઈ
GST Collection: નવા નાણાકીય વર્ષનો પહેલો જ દિવસ સરકારી તિજોરી માટે સારા સમાચાર લઈને આવ્યો છે. મંગળવારે એટલે કે 1 એપ્રિલે, સરકારે માર્ચ મહિનાના GST Collection ના આંકડા શેર કર્યા છે, જેમાં GST કલેક્શનમાં 9.9 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં GST કલેક્શન 9.9 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડ થયું છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. સ્થાનિક વ્યવહારોથી GSTની આવક 8.8 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડ થઈ, જ્યારે આયાતી માલસામાનની આવક 13.56 ટકા વધીને રૂ. 46,919 કરોડ થઈ છે. માર્ચ દરમિયાન કુલ રિફંડ 41 ટકા વધીને રૂ. 19,615 કરોડ થયું છે. રિફંડને સમાયોજિત કર્યા પછી, માર્ચ 2025માં GSTની ચોખ્ખી આવક રૂ. 1.76 લાખ કરોડ કરતાં વધુ હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિના કરતાં 7.3 ટકા વધુ છે.
નાણાકીય વર્ષ 2025માં GSTથી આટલી મોટી આવક થઈ
અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ સરકારને GSTમાંથી સારી એવી કમાણી થઈ હતી. સરકારને ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શનમાંથી રૂ. 1.84 લાખ કરોડ મળ્યા હતા. જો જાન્યુઆરીની વાત કરીએ તો આ મહિનામાં સરકારને GST કલેક્શનમાં 1.96 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. જો આપણે 1 એપ્રિલ, 2024 થી 31 માર્ચ, 2025 વચ્ચે GST કલેક્શનની વાત કરીએ તો, સરકારે 21.72 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ પણ વાંચો -શેરબજારમાં આવેલા ભૂકંપ પાછળ છે આ 4 કારણો જવાબદાર!
જીએસટીના નવા નિયમો 1 એપ્રિલથી અમલમાં આવશે
અગાઉ, વેપારીઓ પાસે તેમના અન્ય GST રજિસ્ટ્રેશનમાં સામાન્ય ITC ફાળવવા માટે બે વિકલ્પો હતા. આમાં બે વિકલ્પો હતા, ISD મિકેનિઝમ અથવા ક્રોસ-ચાર્જ પદ્ધતિ, પરંતુ હવે 1 એપ્રિલ, 2025 થી, જો ISD નો ઉપયોગ કરવામાં નહીં આવે, તો પ્રાપ્તકર્તા સ્થાન માટે ITC આપવામાં આવશે નહીં. જો ITCનું ખોટું વિતરણ થયું હોય તો ટેક્સ ઓથોરિટી વ્યાજ સાથે રકમ વસૂલ કરે છે. આ સાથે, અનિયમિત વિતરણ માટે દંડ પણ લાદવામાં આવશે, જે ITCની રકમ અથવા 10,000 રૂપિયાથી વધુ હશે.
આ પણ વાંચો -Gold price today : સોનાના ભાવમાં ફરી ઉછાળો,જાણો 10 ગ્રામનો ભાવ
GST સિસ્ટમ
એવું માનવામાં આવે છે કે આ ફેરફાર GST સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત કરવાની દિશામાં બીજું મોટું પગલું છે. ISD સિસ્ટમ માત્ર રાજ્યો વચ્ચે ટેક્સની આવકનું વિતરણ કરશે નહીં, તેના બદલે, તે વ્યવસાયોને તેમની કર જવાબદારીઓને વધુ સારી રીતે સંચાલિત કરવામાં પણ મદદ કરશે. કરચોરી રોકવા અને સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે આ પગલું ઘણું સારું સાબિત થશે.