Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

General Insurance:સરકારી વીમા કંપનીઓનું નુકસાન માંથી બહાર આવી રહી છે : નાણા મંત્રાલય

સરકારી વીમા કંપનીઓ નુકસાન માંથી બહાર આવી રહી છે ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સને રૂ. 5,000 કરોડનું નુકસાન થયું ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સે 1,000 કરોડનો નફો કર્યો General Insurance:નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રમાં સરકારી સામાન્ય વીમા કંપનીઓ(General Insurance)ને માત્ર આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત...
08:57 AM Aug 05, 2024 IST | Hiren Dave
  1. સરકારી વીમા કંપનીઓ નુકસાન માંથી બહાર આવી રહી છે
  2. ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સને રૂ. 5,000 કરોડનું નુકસાન થયું
  3. ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સે 1,000 કરોડનો નફો કર્યો

General Insurance:નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રમાં સરકારી સામાન્ય વીમા કંપનીઓ(General Insurance)ને માત્ર આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જ નહીં. પરંતુ નફામાં સુધારો કરવાનું લક્ષ્ય પણ રાખવા જણાવ્યું છે. સરકારે તાજેતરમાં ત્રણ જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સમાં અલગ-અલગ હપ્તામાં આશરે રૂ. 7,250 કરોડનું રોકાણ કર્યું છે.

વધુ મૂડી રોકાણની જરૂર નહીં પડે: નાણા મંત્રાલયે

નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું કે, અમે સરકારી સામાન્ય વીમા કંપનીઓની કામગીરી પર નજર રાખી રહ્યા છીએ અને તેઓએ સુધારો કરવાનું શરૂ કર્યું છે. તેથી, અમે આ વર્ષના તેના પ્રદર્શન પર નજર રાખીશું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ કંપનીઓને વધુ મૂડી રોકાણની જરૂર પડશે નહીં. આ જ કારણ છે કે બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

આ પણ વાંચો -Tel Aviv માં રહેલા ભારતીયો માટે ભારતીય Embassy એ જાહેર કરી આ Advisory

નાણાકીય વર્ષ 2022-23માં ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સને રૂ. 5,000 કરોડનું નુકસાન

વિવેક જોશીએ જણાવ્યું હતું કે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 5,000 કરોડનું નુકસાન થયું હતું, ત્યારબાદ કંપનીએ શાનદાર પુનરાગમન કર્યું હતું અને નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 18 કરોડનો નફો નોંધાવ્યો હતો. જ્યારે નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં 3,800 કરોડ રૂપિયાથી ઘટાડીને નાણાકીય વર્ષ 2023-24માં 187 કરોડ રૂપિયા કરી દીધા છે. તેવી જ રીતે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 2,800 કરોડનું નુકસાન થયું હતું. આ સરકારી વીમા કંપનીએ નાણાકીય વર્ષ 2023-24માં તેની ખોટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને તેને 2800 કરોડ રૂપિયાથી 800 કરોડ રૂપિયા સુધી લાવવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો -Stock Market Crash: શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 886 પોઈન્ટનો કડાકો

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સનું શાનદાર પ્રદર્શન

આ તમામ કંપનીઓમાં ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. સારી વાત એ છે કે કંપનીનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 1,000 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2023-24માં વધીને રૂ. 1,100 કરોડ થયો હતો. ફોકસમાં ફેરફાર ઉપરાંત, સરકાર આ વીમા કંપનીઓમાં ચાલી રહેલા ઓપરેશનલ મુદ્દાઓ પર પણ ધ્યાન આપી રહી છે.

Tags :
General Insurancegeneral insurance companiesMinistry of FinanceNational Insurance CompanyOriental Insurance
Next Article