Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali Muhurat Trading : દિવાળીના ટ્રેડિંગ મુહૂર્તમાં સેન્સેક્સમાં 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો

એક તરફ રવિવારે દેશભરમાં દિવાળીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે દિવાળીના અવસર પર ભારતીય શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા છે. દિવાળીના ટ્રેડિંગ મુહૂર્તમાં સાંજે 6.15 વાગ્યે માર્કેટ ઓપન થતા જ સેન્સેક્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગના પ્રી-ઓપન...
diwali muhurat trading   દિવાળીના ટ્રેડિંગ મુહૂર્તમાં સેન્સેક્સમાં 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો
Advertisement

એક તરફ રવિવારે દેશભરમાં દિવાળીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે દિવાળીના અવસર પર ભારતીય શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા છે. દિવાળીના ટ્રેડિંગ મુહૂર્તમાં સાંજે 6.15 વાગ્યે માર્કેટ ઓપન થતા જ સેન્સેક્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.

Advertisement

દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગના પ્રી-ઓપન માર્કેટમાં સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 65,400 પોઈન્ટની પાર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 100 પોઈન્ટ ઉછળીને 19,550 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો.દિવાળીના શુભ મુહૂર્તમાં શેરબજાર એક કલાક માટે ખુલે છે ત્યારે હિન્દુ ધર્મના ઘણા લોકો તેમના રોકાણની શરૂઆત કરે છે. મોટાભાગના લોકો શેર ખરીદવાનું પસંદ કરે છે કારણ કે તે દેવી લક્ષ્મીનું પ્રતીક છે. હિન્દુ કેલેન્ડર વર્ષ દિવાળીથી શરૂ થાય છે, જેને વિક્રમ સંવત કહેવામાં આવે છે.

Advertisement

Advertisement

આજથી સંવત 2080 નો પ્રારંભ થયો છે
શેરબજાર માટે દિવાળી ખાસ માનવામાં આવે છે. દિવાળીના દિવસે દેશમાં વેપારી વર્ગ ધનની દેવી લક્ષ્મીની પૂજા કરે છે. શેરબજાર માટે પણ મહત્વ વધી જાય છે કારણ કે દર વખતે દિવાળીએ બજારમાં નવા વર્ષની શરૂઆત થાય છે. બજારો અને ઉદ્યોગપતિઓનું આ નવું વર્ષ વિક્રમ સંવત અને સંવત 2080 મુજબ ચાલે છે આ દિવાળીથી શરૂ થયું છે.

દિવાળીના દિવસથી નવી શરૂઆત
સંવતના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના દિવસે વેપારી વર્ગ જૂના હિસાબી ચોપડા બદલી નાખે છે. આ પવિત્ર અવસરને નિમિત્તે દિવાળીના દિવસે બજારમાં ખાસ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેડિંગ સેશનને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. દિવાળી પર મુહૂર્તના વેપાર માટે બજાર માત્ર એક કલાક માટે ખુલે છે. આ જ કારણ છે કે રવિવાર હોવા છતાં શેરબજારમાં એક કલાકનો ખાસ કારોબાર રહ્યો હતો.

પ્રી-ઓપન સેશનથી હરિયાળી
મુહૂર્ત ટ્રેડિંગના વિશેષ સત્ર માટે બજાર સાંજે 6.15 વાગ્યે ખુલ્યું હતું. તે પહેલા, પ્રી-ઓપન સેશનમાં, BSE સેન્સેક્સ 600 પોઈન્ટ મજબૂત હતો, જ્યારે નિફ્ટી 19,580 પોઈન્ટને પાર કરી ગયો હતો. સેન્સેક્સે 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે નવી સિઝનની શરૂઆત કરી. શુક્રવાર, નવેમ્બર 10, જે સંવત 2079 નો છેલ્લો ટ્રેડિંગ દિવસ હતો, સેન્સેક્સ 64,904.68 પોઈન્ટ પર બંધ થયો હતો.

વર્ષ આવી પ્રગતિ સાથે શરૂ થયું
આજે મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 65,418.98 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટી પણ લગભગ 1 ટકાના વધારા સાથે 19,547.25 પોઈન્ટ પર ખુલ્યો. મુહૂર્તના ટ્રેડિંગના સમગ્ર એક કલાક દરમિયાન બજારમાં ચારેબાજુ હરિયાળી હતી. માત્ર બ્લુ ચિપ શેરોમાં જ ઉછાળો જોવા મળ્યો નથી, પરંતુ મોટાભાગના મિડ કેપ અને સ્મોલ કેપ શેરો પણ ગ્રીન ઝોનમાં રહ્યા છે. બજારના તમામ ક્ષેત્રોમાં વાતાવરણ હરિયાળું રહ્યું હતું. ટ્રેડિંગ સમાપ્ત થયા બાદ સેન્સેક્સ લગભગ 355 પોઈન્ટ અથવા 0.55 ટકાના વધારા સાથે 65,260 પોઈન્ટની નજીક બંધ થયો હતો. નિફ્ટી 100 પોઈન્ટ વધીને 19,525 પોઈન્ટની નજીક બંધ રહ્યો હતો.સેન્સેક્સ પર આજના સ્પેશિયલ કારોબારમાં આઈટી શેર ઈન્ફોસિસમાં સૌથી વધુ દોઢ ટકાનો ઉછાળો રહ્યો હતો. વિપ્રો પણ લગભગ એક ટકા વધ્યો હતો.

મુહૂર્તના વેપારનો આવો ઈતિહાસ છે
મુહૂર્ત વેપારની વાત કરીએ તો, સામાન્ય રીતે બજાર હરિયાળીથી શરૂ થાય છે. પાછલા 10 વર્ષનો રેકોર્ડ આ દર્શાવે છે. છેલ્લા 10 વર્ષમાં, શેરબજારની શરૂઆત મુહૂર્ત ટ્રેડિંગમાં 8 પ્રસંગોએ લાભ સાથે થઈ છે. આ વખતે પણ બજારે સંવતના પ્રથમ દિવસે જ ઔપચારિક ટ્રેડિંગની શરૂઆત કરી છે.

આ  પણ  વાંચો -DHANTERAS 2023: ધનતેરસ પર અઢળક ખરીદી, દેશભરના રિટેલ માર્કેટમાં રૂ. 50,000 કરોડનો બિઝનેસ

Tags :
Advertisement

Trending News

.

×