Paytm પર સંકટના વાદળ, RBIની કાર્યવાહી બાદ બે દિવસમાં શેર 40% ઘટ્યો
Paytm: ઓનલાઈન પેમેન્ટ સર્વિસીઝ મુહેયા વેપારી કંપની પેટીએમ પર સંકટ(Paytm Crisis)ના વાદળો મંડરાઈ રહ્યા છે. તેની બેંકિંગ સેવાઓ પર આરબીઆઈ દ્વારા બેન કરવામાં આવતા ગુરુવારે કંપનીના શેરમાં ભારે કડાકો જેવા મળ્યો અને બજાર ખુલતાની સાથે તેના શેર આ ધારાશાયી (Paytm Share Fall) થઈ ગયા, જેથી બજારમાં તેનો કારોબાર બંધ થવાની સંભાવવા વર્તાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, પેટીએમ પેમેન્ટ્સ બેંક પર આરબીઆઈની કાર્યવાહી બાદ, પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશને હવે અન્ય માર્ગો શોધવાનું શરૂ કર્યું છે. આ અંગે કંપની દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આમાં કયા વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે.
Update: Paytm Payments Bank Limited, an associate of Paytm receives RBI directions. Paytm to expand its existing relationships with leading third-party banks to distribute payments and financial services products.
Read more here: https://t.co/NsPCOxp6VJ pic.twitter.com/fQjozyR11m— Paytm (@Paytm) January 31, 2024
રિજર્વ બેંક દ્વારા આપવામાં આવ્યો આદેશ
અત્યારે એ જાણીએ કે, આરબીઆઈ દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંકની સેવાઓ બંધ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો ત્યારે તેના પર શું અસર થઈ? મળતી વિગતો પ્રમાણે રાષ્ટ્રીય બેંકે ગયા ગુરૂવારે પેટીએમ પર એક્શન લેતા કહ્યું હતું કે, 29 ફેબ્રુઆરી બાદ Paytm Payment Bank પોતાના સેવાઓ નહીં આપી શકે અને કોઈ નવા ગ્રાહકો પણ નહીં જોડી શકે. આ સાથે, બેંક 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, વોલેટ અને FASTag માં થાપણો/ટોપ-અપ સ્વીકારી શકશે નહીં.
To every Paytmer,
Your favourite app is working, will keep working beyond 29 February as usual.
I with every Paytm team member salute you for your relentless support. For every challenge, there is a solution and we are sincerely committed to serve our nation in full…— Vijay Shekhar Sharma (@vijayshekhar) February 2, 2024
ઉલ્લેખનીય છે કે, બચત બેંક ખાતા, કરંટ એકાઉન્ટ અને ફાસ્ટેગમાં પહેલાથી જ જમા થયેલી રકમ કોઈપણ પ્રતિબંધ વિના ઉપાડી શકાય છે અથવા વાપરી શકાય છે. આરબીઆઈએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે પેટીએમને નોડલ એકાઉન્ટ 15 માર્ચ સુધીમાં સેટલ કરવાનો આદેશ આપ્યો છે.
Paytm નું માર્કેટ 20% ક્રેશ થયું
Paytm પર આરબીઆઈની કાર્યવાહીની અસર ગુરુવારે બજેટના દિવસે તેની પેરેન્ટ કંપની One97 Communication ના શેર પર પણ જોવા મળી હતી. શેરબજાર ખુલતાની સાથે જ Paytmના શેરમાં તીવ્ર ઘટાડો થયો અને તે 20 ટકાની નીચલી સર્કિટ પર આવી ગયો. બજારમાં કારોબારના અંતે તેઓ રૂ.609ના સ્તરે બંધ થયા હતા. શેરોમાં ભારે ઘટાડાને કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન (Paytm MCap) પણ ઘટીને રૂ. 38670 કરોડ થઈ ગયું છે અને Paytm શેરના લિસ્ટિંગના દિવસે નુકસાનનો સામનો કરી રહેલા રોકાણકારોની પરેશાનીઓ ફરી એકવાર આસમાને પહોંચી ગઈ છે.
લગાતાર ઘટી રહ્યા છે પેટીએમના શેર
ગુરુવારે 20 ટકા ઘટ્યા પછી પેટીએમના શેર પણ શુક્રવારે ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતા. પેટીએમની પેરન્ટ કંપની One97 Communicati ના શેર લોઅર સર્કિટમાં ફટકો પડ્યો. શેરબજાર ખુલતાની સાથે જ કંપનીના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો અને તેના શેરની કિંમત 121.80 રૂપિયા ઘટીને માત્ર 487.20 રૂપિયા થઈ ગઈ. આ સાથે કંપનીની માર્કેટ મૂડી પણ ઘટીને 30940 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
હવે અમે અન્ય બેંકો પર નિર્ભર છીએઃ પેટીએમ
મુશ્કેલીમાં મુકાયેલ પેટીએમ આ સંકટ વચ્ચે અત્યારે નવો રસ્તો શોધી રહ્યું છે. પેટીએમની પેરેન્ટ કંપની One97 Communication એટલે કે OCL દ્વારા જારી કરાયેલ સ્ટેટમેન્ટ જોઈને આનો સંકેત મળી શકે છે. વાસ્તવમાં, કંપનીએ આમાં કહ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક આરબીઆઈના નિર્દેશોનું પાલન કરવા માટે કામ કરી રહી છે અને હવે આ કામ વધુ ઝડપથી કરવામાં આવશે.