Pahalgam Terror Attack : ઈજાગ્રસ્ત પર્યટક વિનુભાઈ માદરેવતન ભાવનગર પરત ફર્યા, માન્યો સરકારનો આભાર
- Pahalgam Terror Attack ઈજાગ્રસ્ત પર્યટક ભાવનગર પરત ફર્યા
- Vinubhai ને જમણા હાથે ગોળી વાગી અને ડાબે ખભે ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી
- ઈજાગ્રસ્ત Vinubhai Dabhi ઘરે પહોંચતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે
- ભાવનગર MP Nimuben Bambhaniya અને સરકારનો માન્યો આભાર
Pahalgam Terror Attack : આખી માનવતાને ઝકઝોળી કાઢનાર Pahalgam Terror Attack માં ભાવનગરના વિનુભાઈ ડાભી (Vinubhai Dabhi) ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિનુભાઈ માદરેવતન ભાવનગર તેમના નિવાસસ્થાને પરત ફર્યા છે. વિનુભાઈએ Gujarat First ને સમગ્ર આપવીતી જણાવી અને સાંસદ નિમુબેન બાંભણીયા (MP Nimuben Bambhaniya) તથા સરકારનો આભાર માન્યો છે. ઈજાગ્રસ્ત વિનુભાઈ ઘરે પહોંચતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
વિનુભાઈને કેટલી ઈજો પહોંચી છે ?
Pahalgam Terror Attack માં નિર્દોષ પર્યટકો પર બેફામ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ભાવનગરના પર્યટક વિનુભાઈ ડાભી પણ ઈજાગ્રસ્ત થયા હતા. આજે ઈજાગ્રસ્ત વિનુભાઈ ડાભી માદરેવતન ભાવનગરમાં તેમના નિવાસસ્થાને પરત ફર્યા છે. આ સમગ્ર હીચકારા હુમલામાં વિનુભાઈને જમણા હાથે ગોળી વાગી હતી અને ડાબે ખભે એક ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી. જો કે ડાબા ખભે જે ગોળીથી ઈજા થઈ તેની ખબર Vinubhai Dabhi ને ઘરે આવ્યા પછી થઈ હતી. ઈજાગ્રસ્ત વિનુભાઈ ઘરે પહોંચતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તેમના ધર્મપત્ની લીલીબેનને પણ માદરેવતન પાછા ફરેલા વિનુભાઈ ડાભીનું આંસુ છલકતી આંખો સાથે સ્વાગત કર્યુ છે.
Pahalgam Terror Attack: કેવો હશે ડર...બીજી ગોળી વાગી તે વિનુભાઈને ખબર જ નહોતી! | Gujarat First
-આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત વિનુભાઈ પહોંચ્યાં પોતાના ઘરે
-પોતાના ઘરે ભાવનગર પહોંચતા પરિવારમાં ખુશી જોવા મળી
-તેમના જમણા હાથે ગોળી વાગી હતી અને ડાબા ખભે ઘસાઈ હતી
-સાંસદ નિમુબેન બાંભણિયા… pic.twitter.com/8KUSlwqDcp— Gujarat First (@GujaratFirst) April 25, 2025
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : રાજકોટના નિવૃત્ત આર્મી જવાને Gujarat First ને જણાવ્યા વડાપ્રધાનની સ્પીચના સંકેતો
સરકારનો આભાર માન્યો
વિનુભાઈ ડાભીનો Gujarat First દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. Vinubhai Dabhi એ સમગ્ર ઘટનાની આપવીતી Gujarat First ને જણાવી. તેમણે સરકાર અને ખાસ કરીને MP Nimuben Bambhaniya નો પણ આભાર માન્યો છે. આ સમગ્ર હીચકારા હુમલામાં વિનુભાઈને જમણા હાથે ગોળી વાગી હતી અને ડાબે ખભે એક ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી. જો કે ડાબા ખભે જે ગોળીથી ઈજા થઈ તેની ખબર વિનુભાઈને ઘરે આવ્યા પછી થઈ હતી. ઈજાગ્રસ્ત વિનુભાઈ ઘરે પહોંચતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચોઃ Gujarat ના અમદાવાદમાં સૌથી વધારે 77 પાકિસ્તાની નાગરિકો, તમામને હાંકી કાઢવા કવાયત તેજ