Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

A unique event-બસો કરોડની સંપત્તિ દાન આપીને સજોડે સન્યાસ લેશે

A unique event અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે. કહેવાય છે કે ત્યાગને સમજવા કે તેને પ્રાપ્ત કરવા માટે આ મટિરિયાલિસ્ટિક જગતને મનભરીને ભોગવવું પડે છે. નિષ્ફળ વ્યક્તિ સફળતાનું મહત્વ વધુ સારી રીતે સમજે છે. તેવી જ રીતે, પુષ્કળ ધન એકઠું...
a unique event બસો કરોડની સંપત્તિ દાન આપીને સજોડે સન્યાસ લેશે
Advertisement

A unique event અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે. કહેવાય છે કે ત્યાગને સમજવા કે તેને પ્રાપ્ત કરવા માટે આ મટિરિયાલિસ્ટિક જગતને મનભરીને ભોગવવું પડે છે. નિષ્ફળ વ્યક્તિ સફળતાનું મહત્વ વધુ સારી રીતે સમજે છે. તેવી જ રીતે, પુષ્કળ ધન એકઠું કરનારા લોકો જ્યારે વૈરાગ્યની દુનિયામાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ ત્યાગને વધુ સારી રીતે સમજી શકે છે. કારણ કે તેઓએ તેમના જીવનના દરેક રંગનો આનંદ માણ્યો હોય છે.

Advertisement

જીવનભરની કમાણીનું દાન

આ ગુજરાતના એક અબજોપતિની વાત છે. આ અબજોપતિ ઉદ્યોગપતિનું નામ છે ભાવેશભાઈ ભંડારી. ભાવેશભાઈ ભંડારી ખૂબ જ ધનવાન અને શ્રીમંત માણસ છે, પરંતુ તેમણે હવે તેમની જીવનભરની કમાણી દાનમાં આપી દીધી છે.

Advertisement

સમગ્ર સંપત્તિ દાનમાં આપીને દંપત્તી સન્યાસ લેશે

ગુજરાતના હિંમતનગરમાં રહેતા અબજોપતિ ઉદ્યોગપતિ ભાવેશ ભાઈ ભંડારીની વાત આજે ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. પછી તે સોશિયલ મીડિયા હોય કે લોક જીભે. ગુજરાતના આ અબજોપતિએ પોતાની આખી જિંદગીની કમાણી એટલે કે તેમની સમગ્ર સંપત્તિ દાનમાં આપીને સન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ભાવેશ ભંડારી અને તેની પત્નીએ જૈન ધર્મમાં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.આ દીક્ષા A unique event છે. 

Advertisement

જૈન ધર્મમાં દીક્ષા લેવાનો અર્થ  એટલે કે ભૌતિક જગતથી દૂર 

જૈન ધર્મમાં દીક્ષા લેવાનો અર્થ છે સન્યાસ લેવો એટલે કે ભૌતિક જગતથી દૂર રહેવું અને સંતની જેમ માનવ કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરવું. ભાવેશ ભંડારી અને તેમની પત્નીએ સંન્યાસ લેતા પહેલાં તેમની જીવનભરની કમાણી એટલે કે રૂ. 200 કરોડની સંપત્તિ દાન કરી દીધી છે

બંને સંતાનો પણ સાધુ ભગવંત

આ દંપતીને બે બાળકો પણ છે. એક પુત્ર અને એક પુત્રી. પુત્ર અને પુત્રીએ પણ બે વર્ષ પહેલા સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો. હવે તેમના બાળકોની જેમ તેમના માતા અને પિતાએ પણ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.

બોલો છે ને A unique event?

અત્રે ઉલ્લેખનિય છે કે ભાવેશભાઈનો જન્મ ગુજરાતના હિંમતનગરના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેઓ કન્સ્ટ્રક્શન સહિત અનેક પ્રકારના ધંધાઓ ચલાવતા હતા. તેમનો કન્સ્ટ્રક્શન બિઝનેસ ખૂબ જ સારો ચાલતો હતો. જો કે, હવે તેમણે તમામ કામ અને વ્યવસાયથી પોતાને દૂર કરી દીધા છે અને જૈન ધર્મમાં દીક્ષા લઈને દીક્ષા લેવાનું નક્કી કર્યું છે.

22 એપ્રિલે પતિ-પત્ની ઔપચારિક રીતે દીક્ષા લેશે.

આ પણ વાંચો- FOGA USA : અમેરિકામાં વસતા 17 લાખ ગુજરાતીઓને એક મંચ પર લાવવા પ્રયાસ  

Advertisement

Trending News

.

×