શું છે પતરાલીના શાકનું મહત્વ ? જે વર્ષમાં માત્ર એક જ વાર પારણામાં બનાવાય છે
અહેવાલઃ કનુ જાની, ગુજરાત ફર્સ્ટ
પતરાલી એટલે વિશ્વનો સૌથી અનોખો શાકનો થાળ. વિશ્વમાં શાકનો અનોખો ભોગ.કૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવ પર વર્ષમાં એક વખત લગભગ 50 પ્રકારના શાક અને તેનાં ભજીયાં આજે વૈષ્ણવ મંદિરોમાં ઠાકોરજીને રાજભોગ તરીકે પિરસવામાં આવશે.
તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એ છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે દરેક જગ્યાએથી તમામ ગોવાળો શાકભાજી ભેટ આપવા માટે આવ્યા હતા. તેથી યશોદા માતાએ આ બધું એકસાથે રાંધ્યું અને બીજા દિવસે ભગવાનને અર્પણ કર્યું જે નંદ મહોત્સવ તરીકે ઓળખાય છે.
આ સ્વદેશી વાનગીને સ્વાદ માટે કોઈ મસાલાની જરૂર નથી .ફક્ત તેલ-જીરુ વઘાર. તે લગભગ 8 પ્રકારના ભજીયાં દ્વારા સ્વાદયુક્ત તેનું પોતાનું અલગ સ્વાદ અને પોષણ ધરાવે છે. પતરાલી એ સમગ્ર વિશ્વની સૌથી વિચિત્ર સ્વાદિષ્ટ શાકાહારી વાનગી છે જે વર્ષમાં માત્ર એક જ વાર રાંધવામાં અને ઠાકોરજીને ધરાવવામાં આવે છે!