Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જેવું સાંભળ્યું હતું તેવા અમિત શાહ નથી' જાણો કોણે કહ્યું ?

દેશના અગ્રણી મુસ્લિમ નેતાઓ મંગળવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ને મળ્યા હતા. આ મીટિંગ પછી આ નેતા અમિત શાહથી પ્રભાવિત થઇ ગયા હતા અને કહ્યું કે તેઓ એકદમ અલગ જોવા મળ્યા હતા. જમીયત ઉલેમા-એ-હિંદના સેક્રેટરી નિયાઝ ફારૂકીએ કહ્યું કે તેઓ...
08:05 PM Apr 05, 2023 IST | Vipul Pandya
દેશના અગ્રણી મુસ્લિમ નેતાઓ મંગળવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ને મળ્યા હતા. આ મીટિંગ પછી આ નેતા અમિત શાહથી પ્રભાવિત થઇ ગયા હતા અને કહ્યું કે તેઓ એકદમ અલગ જોવા મળ્યા હતા. જમીયત ઉલેમા-એ-હિંદના સેક્રેટરી નિયાઝ ફારૂકીએ કહ્યું કે તેઓ રાજકીય ભાષણોમાં જે દેખાય છે તેના કરતા તેઓ અલગ દેખાતા હતા અને અમે જે કહ્યું તે બધું ધ્યાનથી સાંભળતા હતા. બેઠકમાં જમિયતના વડા મૌલાના મહમૂદ મદની અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યો કમાલ ફારૂકી અને પ્રોફેસર અખ્તરુલ વાસે પણ હાજર હતા.
14 મુદ્દાઓ પર વાત કરી
મીટિંગ બાદ મીડિયા સાથે વાત કરતા નિયાઝ ફારૂકીએ કહ્યું કે તેમણે અમિત શાહ સાથે દેશ અને મુસ્લિમો સામેના પડકારોમાંથી 14 મુદ્દાઓ પર વાત કરી હતી. અમે રામ નવમીથી થયેલી હિંસા વિશે પણ વાત કરી. હરિયાણાના મેવાતમાં મોબ લિંચિંગના મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન દ્વેષપૂર્ણ ભાષણ અને કર્ણાટકમાં મુસ્લિમો માટે અનામત છીનવી લેવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ બેઠકમાં અમે ગૃહમંત્રી સમક્ષ અમારી ચિંતાઓ રજૂ કરી હતી અને તેમણે ખૂબ જ સારી રીતે સાંભળી હતી.
અમિત શાહે અમારી વાત ધ્યાનથી સાંભળી
નિયાઝીએ કહ્યું કે અમિત શાહે અમારી વાત ધ્યાનથી સાંભળી અને સકારાત્મક વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે અમિત શાહે આખી વાત વિગતવાર સાંભળી અને કહ્યું કે તમારી ઘણી વાતો સાચી છે અને અમે તેના પર ધ્યાન આપીશું. અમિત શાહે અન્ય રાજ્યોમાં હિંસાની ઘટનાઓ કેવી રીતે બની નથી તેનું ઉદાહરણ આપ્યું હતું. ફારૂકીએ કહ્યું કે અમે અમિત શાહ સાથેની બેઠકમાં બિહારના નાલંદામાં મદરેસામાં આગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેના પર અમિત શાહે કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોમાં આવી ઘટનાઓ કેમ નથી બનતી.
મુસ્લિમ નેતાએ કહ્યું કે હેટ સ્પીચ સામે મૌનનો મુદ્દો ઉઠાવ્યો
ફારૂકીએ કહ્યું કે બેઠકમાં અમે બીજેપી નેતાઓ દ્વારા મુસ્લિમો વિરુદ્ધ કરવામાં આવી રહેલા નિવેદનબાજીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અમે નફરતભર્યા ભાષણ વિશે પણ વાત કરી હતી. તેના પર અમિત શાહે કહ્યું કે દરેક પ્રકારના લોકો છે. એટલા માટે દરેકને એક જ દૃષ્ટિકોણથી જોવું યોગ્ય નથી. સરકાર આવા કોઈપણ કેસને સમર્થન આપતી નથી. ફારૂકીએ કહ્યું કે અમે ગૃહમંત્રીને કહ્યું કે તમારા તરફથી મૌન રહેવાથી મુસ્લિમોની ચિંતા વધી જાય છે. આના પર તેણે કહ્યું કે અમે તેના પર વિચાર કરીશું.
આ પણ વાંચો---જુનિ.ક્લાર્ક પરીક્ષામાં 11 ડમી ઉમેદવાર ? વાંચો શું કહ્યું હસમુખ પટેલે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article