Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં આજે કોરોનાના કેસમાં થયો મોટો ઘટાડો, નોંધાયા માત્ર 830 નવા કેસ

તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે આજે દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે. આજે પણ દિવાળી પછી સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 1000થી ઓછા નવા કેસ નોંધાયા છે. મંગળવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 830 નવા કેસ નોંધાયા છે. આ પહેલા મંગળવારે દેશમાં કોરોના સંક્રમણના 862 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 3 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખ
04:55 AM Oct 26, 2022 IST | Vipul Pandya
તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે આજે દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે. આજે પણ દિવાળી પછી સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 1000થી ઓછા નવા કેસ નોંધાયા છે. મંગળવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 830 નવા કેસ નોંધાયા છે. આ પહેલા મંગળવારે દેશમાં કોરોના સંક્રમણના 862 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 3 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીએ નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 32 નો ઘટાડો નોંધાયો છે. 
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 830 નવા કેસ નોંધાયા છે જ્યારે 3 લોકોના મોત થયા છે. આ દરમિયાન 1,771 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 21,607 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 937નો ઘટાડો થયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,45,768 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,95,180 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.76 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.05 ટકાનો સમાવેશ થાય છે. જ્યારે દૈનિક હકારાત્મકતા દર 1.05 ટકા રહ્યો હતો. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,19 કરોડ સુધી પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 96,633 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. સૌથી મહત્વનું છે કે, 197 દિવસમાં પહેલીવાર આવું બન્યું છે જ્યારે કોરોનાના આટલા ઓછા કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો - દિવાળીના તહેવારે દેશમાં કોરોનાના નોંધાયા માત્ર આટલા જ કેસ, 16 લોકોના મોત
Tags :
CoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstvaccine
Next Article