Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોનાના કેસમાં આજે દેશને મળી છે રાહત, નોંધાયા માત્ર આટલા કેસ

દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. જોકે, સારી વાત એ છે કે, કોરોનાના દૈનિક કેસ 10 હજારથી ઓછા નોંધાઇ રહ્યા છે. શુક્રવારની સરખામણીએ આજે ​​દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાના દૈનિક કેસની જો વાત કરીએ તો તે આજે  6 હજારની નજીક નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 5,747 નવા કેસ નોંધાયા છે, જ્યારે 29 લોકોના મોત થયા છે.આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર ક
05:37 AM Sep 17, 2022 IST | Vipul Pandya
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. જોકે, સારી વાત એ છે કે, કોરોનાના દૈનિક કેસ 10 હજારથી ઓછા નોંધાઇ રહ્યા છે. શુક્રવારની સરખામણીએ આજે ​​દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાના દૈનિક કેસની જો વાત કરીએ તો તે આજે  6 હજારની નજીક નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 5,747 નવા કેસ નોંધાયા છે, જ્યારે 29 લોકોના મોત થયા છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5,747 નવા કેસ નોંધાયા છે જ્યારે 29 લોકોના મોત થયા છે. આ દરમિયાન 5,618 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 46,848 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 100 નો વધારો નોંધાયો છે.

આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,45,28,595 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,39,53,374 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,302 લોકોના મોત થયા છે.
સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,16,41,70,550 પર પહોંચી ગઈ છે. વળળી, છેલ્લા 24 કલાકમાં 23,92,530 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - દેશમાં આજે કોરોનાના નોંધાયા 6 હજારથી વધુ કેસ, 23 લોકોના મોત
Tags :
CoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstNewcasesvaccine
Next Article