Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે રાજ્યમાં કોરોના વધુ 600થી વધુ કેસ, અમદાવાદમાં સૌથી વધુ કેસ

 ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 633 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 731 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.67 ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ 5613 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5603 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુ
આજે રાજ્યમાં કોરોના વધુ 600થી વધુ કેસ  અમદાવાદમાં સૌથી વધુ કેસ
 ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 633 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 731 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.67 ટકા થઈ ગયો છે.
 
રાજ્યમાં હાલ 5613 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5603 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,32,544 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. બે દિવસના નજીવા ઘટાડા બાદ આજે ફરી એકવાર કોરોના પોઝેટિવ કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 600 થી વધુ આવી રહ્યા છે
જાણો રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા 
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 211 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 51, વડોદરા કોર્પોરેશનમાં 49, રાજકોટ કોર્પોરેશનમાં 44, કચ્છમાં 30, સુરતમાં 28, મહેસાણામાં 27, ભાવનગર કોર્પોરેશનમાં 25, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, ગાંધીનગરમાં 18, પાટણમાં 17, બનાસકાંઠામાં 16, મોરબીમાં 11, રાજકોટમાં 9, આણંદમાં 8, જામનગર કોર્પોરેશનમાં 8, સાબરકાંઠામાં 7, તાપીમાં 6, વલસાડમાં 6, અમદાવાદમાં 5, ભરૂચમાં 5, દેવભૂમિ દ્વારકામાં 5, જામનગરમાં 5, પંચમહાલમાં 5, નવસારીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, વડોદરામાં 3, અમરેલીમાં 2, અરવલ્લીમાં 2, ગીર સોમનાથમાં 1 અને મહિસાગરમાં 1 કેસ નોંધાયો છે.
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 215 દર્દી સાજા થયા
સામે રાહતની વાતએ છે કે  અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 215 દર્દી સાજા થયા છે. સુરત કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનમાં 12, કચ્છમાં 30, સુરતમાં 16, મહેસાણામાં 54, ભાવનગર કોર્પોરેશનમાં 56, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, ગાંધીનગરમાં 21, પાટણમાં 2, બનાસકાંઠામાં 4, મોરબીમાં 8, રાજકોટમાં 10, આણંદમાં 24, જામનગર કોર્પોરેશનમાં 2, સાબરકાંઠામાં 14, તાપીમાં 2, વલસાડમાં 10, અમદાવાદમાં 12, ભરૂચમાં 15, જામનગરમાં 1, પંચમહાલમાં 4, નવસારીમાં 12, સુરેન્દ્રનગરમાં 11, વડોદરામાં 7, અરવલ્લીમાં 4, ગીર સોમનાથમાં 3, ભાવનગરમાં 54, દાહોદમાં 1, ખેડામાં 1 અને પોરબંદરમાં 5 દર્દીઓ સાજા થયા છે.
કુલ 2,41,417 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,41,417 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1,803 ને રસીનો પ્રથમ અને 5,145 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 265 ને રસીનો પ્રથમ અને 1,389 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 26,930 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1,204 ને રસીનો પ્રથમ અને 2,395 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,02,286 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,40,05,750 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.